________________
-
૨૨૩
પnિe જગકર્તા-અધિકાર.
- નાયિકાર.
છે પાતાના ધર્મના ખરા સિદ્ધાંતે જેએના ધ્યાનમાં નથી હોતા તેઓ
૭. ધર્મ જેવાં દેખાતાં મિથ્યામાં ફસાઈ છે તેથી ધર્મના ખરા સિદ્ધાંત કેમ લક્ષમાં લેવા જોઈએ તે બતાવવાનો એક નમૂનાતરીકે આ અધિકાર લેવામાં આવે છે.
પ્રશ્ન–હે મહારાજ! આત્માદિક પદાર્થના આદિને અત્યંત અભાવ સિદ્ધ હેવાથી જગને સૃષ્ટિવાદ સર્વથા ટકી શક્તા નથી પણ આ જગત્ ઈશ્વરકૃત છે' એમ દુનિયામાં પ્રસિદ્ધ છે તે તેને સર્વથા નિષેધ કેમ કરી શકાય? પ્રભૂતકાળ અગાઉ ઈશ્વરે આત્માદિક જગતના પદાર્થો રચ્યા છે, તેથી કોઈ તેને આદિ જાણી શકતું નથી, તેને લીધે અનાદિ કહેવાય છે. પણ ઈશ્વરે જે કાળે જીવાદિ રચ્યા તે કાળની અપેક્ષાએ તે તે સાદિ છે, પણ અત્યંત અને નાદિ નથી—એમ માનવામાં કાંઈ દોષ છે?
ઉત્તર–હે ભવ્ય! જે તમારા કહ્યા પ્રમાણે અતિ પ્રભૂતકાળ પહેલાં પણ ઈશ્વરે આત્માદિક પદાર્થ બનાવ્યા હોય તે તેમ માનવામાં એક્ષના અભાવ વિના બીજી કોઈ હરક્ત નથી. કેમકે ઈશ્વર કૃતને ઈશ્વર કૃત માનવાથી તો સત્યવાદ થાય અને તે સત્યવાદ અમારે ઈષ્ટ છે. પરંતુ તે જગકર્તા પોતે કયા કાળે થયા? કયા કાળે તેણે જગત્ રચ્યું? અને તે કેણે જાણ્યું? એટલા મહાન કાળની વાત આજપર્યત શીરીતે આવી? એ સર્વને ઉત્તર આપે. આના જવાબમાં કદી તમે કહેશે કે “જગન્ના કર્તા ઈશ્વર ક્યારે થયા? એ સવાલ જ થઈ શક્યું નથી, કારણકે, જગકર્તા ઈશ્વર તે સદા વિદ્યમાન છે. કઈ કાળે તે ન હતા એમ નથી. તે હે ભદ્ર! એ તમારું કથન અઘટિત ગણાશે. કેમકે જગકર્તા સર્વદા વિદ્યમાન હોવાથી તે તે અત્યંત અનાદિ થયા અને જગત્ તો તમે સાદિ કહો છો, ત્યારે પ્રથમ જગત્ વિના એકલા ઈશ્વર કેટલા કાળસુધી રહ્યા? અને જે જગતું ન હતું તે તે ઈશ્વર કોના હતા? કેમકે સેવક વિના તે સ્વામી કહેવાતા નથી. વળી તે ઈશ્વર શુદ્ધ છે કે અશુદ્ધ? જે શુદ્ધ હેય તે જગની રચના કરવારૂપ દોષજાળમાં તે પ્રવર્તે નહિ. જગત્ સુખદુઃખમય હેવાથી તે વિષમ છે અને વિષમ વસ્તુ રાગદ્વેષ વિના કહી શકાય નહીં ને જ્યાં રાગદ્વેષ હોય ત્યાં સર્વ દેષ હોય, તે પછી
* તત્ત્વવાર્તા.