SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. અષ્ટમ આવતા નથી, કારણકે ગિરિના શિખર ઉપર બેઠેલ કાગડાઓ કાંઈ જળાશયને કાંઠે રહેલ રાજહંસની તુલનામાં આવતા નથી. ૧૪. ઉચે રહેવાથી કાંઇ ઉત્તમતા ગણાતી નથી. વસતિ (ફક થી ૨૭). नाश्चर्यमेतदधुना हतदैवयोगादुच्चैः स्थितिर्यदधमो न महानुभावः । रथ्याकलङ्कशतसङ्करसङ्कुलोऽपि, पृष्ठे भवत्यवकरो न पुनर्निधानम् ॥१५॥ હત (દુષ્ટ) દૈવના રોગથી હમણાં જે અધમ મનુષ્ય છે તે ઉચ્ચ સ્થિતિને ભેગવે છે અને મહાન અનુભાવવાળા પુરૂષ ઉચ્ચ સ્થિતિને ભેગવતો નથી, પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે સેંકડો કલંક આપનારા કચરાથી વ્યાપ્ત એ ઉકરડે પણ પૃથ્વીની પીઠપર રહે છે એટલે ઉચા રહે છે, અને ધનને નિધિ પૃથ્વીની પીઠ પર રહેતું નથી એટલે કે પૃથ્વીની અંદર-નીચે રહે છે. અર્થાત્ ઉચે રહેવાથી કાંઈ ઉકરડો ઉત્તમ ગણાતા નથી. ૧૫. આડંબરથી ઉચ્ચતા પ્રાપ્ત થતી નથી. आबद्धकृत्रिमसटाजटिलांसभित्तिरारोपितो मृगपतेः पदवीं यदि श्वा । . मत्तेभकुम्भतटपाटनलम्पट स्य, नादं करिष्यति कथं हरिणाधिपस्य ।। १६ ॥ . પિતાની કાંધ ઉપર બનાવટી કેશવાળીના ઝુંડવાળ કૂતર કદાચ બહંકી ગયેલ સિંહ જેવા ભાસે પણ મદન્મત્ત હાથીના ગંડસ્થળ =ડવાના સ્વભાવવાળો જે સિંહ તેની ગજના કેવી રીતે કરી શકે ? ૧૬. પ્રારબ્ધની પ્રબળ સત્તા. सिंहो बली गिरिगुहागहनप्रवासी, वासोदरे वसति भूमिभृतां बिडालः । नो पौरुषं कुलमपि प्रचुरा न वाणी, दैवं बलीय इति मुश्च सखे विषाद।।१७।। કુમાવતારલામાઝીર. હે મિત્ર! બળવાન સિંહ વિકટગિરિ ગુફામાં રહે ને બિલાડે રાજાઓના મહેલમાં વસે, એમાં પુરૂષાર્થ, કુળ કે વિદ્વત્તા બળવાન નથી, પણ તેમાં પ્રારધ્વજ બળવાન છે, એમ માની ખેઠ કર નહિ ૧૭.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy