SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ MAAAMAAAAAAAAAAAAAAAAMMWMA પરિધ. કલા-અધિકાર. ૧૯૨ મજવું. પ્રમાદ આઠ પ્રકારના છે. ૧ સંશય, ર વિપર્યય (ઉલટે બેધ), છે રાગ, ૪ ષ, ૫ મતિભ્રંશ, ૬ મનવચન કાયાના ગેનું દુપ્રણિધાન, ૭ ધર્મપર અનાદર, ૮ અજ્ઞાન અથવા પાંચ પ્રકારે પણ પ્રમાદ છે. મઘ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. અત્ર આઠ પ્રકારના પ્રમાદને ત્યાગ સમજ. શાજાભ્યાસ કે શ્રવણ પછી તે બન્યાજ રહે તે પછી થઈ જ રહ્યું! વૈધશાસ્ત્રોક્ત વિધિપૂર્વક મારેલી તામ્ર કે પારદ પ્રમુખના પ્રગથી પણ જ્યારે વ્યાધિ મટે નહિ ત્યારે તે કેસની આશા છોડવી. તેમજ સંસારદુઃખરૂપ વ્યાધિ પણ તેને માટેના રસાયનરૂપ શાસ્ત્રથી પણ જે મટે નહિ તે જાણવું કે તેવા વ્યાધિવાળે પ્રાણું “દુ:સાધ્ય” કે “અસાધ્ય”ના વર્ગમાં છે. દરેક ભૂલને સુધારવાના ઉપાય હોય છે, દરેક વિમાર્ગગમનને સુમાર્ગે લાવવાનાં સાધન હોય છે, દરેક વ્યાધિનાં ઔષધ હોય છે. પ્રમાદનો પારિભાષિક અર્થ ન કરીએ તે સામાન્ય ભાષામાં તેને આગેસ-પુરૂષાર્થને અભાવ એ અર્થ થાય છે. દરેક વ્યક્તિ પછી તે ઉપાધિસહિત કે રહિત હોય તેને સ્વકર્તવ્યથી ભ્રષ્ટ કરનાર આ મહાદુર્ગુણ છે. એની હાજરી હોય ત્યારે કઈ પણ કાર્ય થઈ શકતું નથી અને દરેક પગલે ખલના પ્રાપ્ત થાય છે. સાધુ જીવનમાં પ્રમત્ત અવરથા અધઃપાત કરાવનારી થાય છે અને સાધ્યને રસ્તે વધારે કરાવવાને બદલે એક પગલું પાછી હઠાડે છે. આ પ્રમત્ત અવસ્થા દૂર કરવા માટે શાસ્ત્રાભ્યાસ પરમ ઉપાય છે. શાસ્ત્રાભ્યાસથી પિતે કણ છે, પિતાની ફરજ શી છે, પિતાનું સાધ્ય શું છે, તે સાધ્ય પ્રાપ્ત કરવાના ઉપાય શા છે તે જાણવાનું–સમજવાનું બની આવે છે અને તેને થીજ પ્રમાદને દૂર કરવાની યેગ્યતા શાસ્ત્રાભ્યાસીને પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ પણ મનનપૂર્વક અને વતનપર અસર કરનારે જોઈએ. વાગડંબર કે ચપળતા કરાવનાર શાસ્ત્રાભ્યાસ બહુ લાભપ્રદ નથી. કારણકે એવી સ્થિતિમાં વ્યાધિના ઔષધતરીકે તેમાં જે ગુણ રહે છે તે નાશ પામે છે અને ધારેલ પરિણામ ન નીપજાવનાર ઔષધ નકામું થઈ પડે છે તેમ શાસ્ત્રાભ્યાસ પણ આવા સંગોમાં ઉપગ વગરને થઈ પડે છે. રસાયનનું ઉક્તદષ્ટાંત તેથી બરાબર થાય છે. કહેવાની મતલબ એ છે કે શાસ્ત્રાભ્યાસ બહુ મનનપૂર્વક કરે, તે પ્રમાણે વર્તન કરવું અને પ્રમાદ વિગેરે દુર્ગુણો હોય તેને દૂર કરવાનું સાધ્ય લક્ષમાં રાખવું. પરમ સાથે તે “શિવ” (મોક્ષ) છે એ ખાસ ધ્યાનમાં રાખવું અને બુદ્ધિ તથા શક્તિને આવિર્ભાવ આપવાના આવા અનુકૂળ પ્રસંગે પ્રાપ્ત થયા છતાં તેનો સદુપયોગ ન થાય અને દરેક શુભ કાર્યમાં પ્રમાદ થયાજ કરે એ સ્થિતિ દૂર કરવાની આવશ્યક્તા સમજવી અને દૂર કરવા પરમ પુરૂષાર્થી પ્રગટ કરવે.. ૬ ૨૧
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy