________________
૧૮
વ્યાખ્યાન સાહિત્યક્ષ બ્રહ-ભાગ ૨છે. આ સર્વ ભૂતપ્રાણઉપર જેમાં દયા બતાવવામાં આવેલ છે એવું એક અક્ષરનું શાસ્ત્ર હેય તેને ગ્રહણ કરવું, પરંતુ ઈન્દ્રિયોને પોષણ (હૃષ્ટપુષ્ટ) કરનાર ધૂર્ત (ધૂતારા) લોકોએ ચલ પાપરૂપ એવું કુશાસ્ત્ર ગ્રહણ કરવું નહિ. ૧.
કુષ્ટ શાસ્ત્ર ઝેરની ગરજ સારે છે. क्षणं कर्णामृतं सूते, कार्यशून्यं सतामपि । कुशाखं तनुते पश्चादविद्यागराविक्रियां ॥२॥
જ્ઞાનાવ. કુશાસ્ત્ર ક્ષણમાત્રમાં તે સત પુરૂષના પણ કાનને અમૃતતુલ્ય લાગે તેવા શુભ કાર્યનાશક વચનને જન્મ આપે છે એટલે પુરૂષને પણ મેહ પેદા કરનાર વચન કાઢે છે અને (પરિણામે) પછી અજ્ઞાનરૂપી ઝેરની વિક્રિયા (વિકાર)ને વિસ્તારે છે એટલે વિકાર પામેલું ઝેર જેમ મનુષ્યના શરીરમંદિરને ધ્વંસ કરી નાખે છે તેમ કુશાસ્ત્ર પણ મનુષ્યના આત્મસુખને નાશ કરી જીવને નરકમાં નાખે છે. ૨.
જે સારૂં તે મારૂં. परीक्षा सर्वशास्त्रेषु, विधातव्या विचक्षणैः ।
न कुशाखप्रणीतं हि, कर्तव्यं विषभक्षणम् ॥३॥ વિદ્વાન પુરૂએ સર્વ શાસ્ત્રોમાં પરીક્ષા કરવી (અને પરીક્ષા કરીને) ખરેખર કુત્સિત શાસ્ત્રમાં કહેલ ઝેરના ભક્ષણતુલ્ય (પાપ) કર્મ ન કરવું. ૩.
જે હિતકર વચન તેજ શાસ્ત્ર, न नव्यं पुस्तकं श्रेष्ठं, न चैतल्लोकरञ्जकम् । न तस्य जल्पतो लोकः, प्रमाणीक्रियते वचः ॥ ४ ॥
ભૂમુિwાવી. કુશાસ્ત્રનું પુસ્તક નવીન હોય તે પણ તે શ્રેષ્ઠ નથી તેમ એ સજનને રંજન કરી શકતું નથી. કારણકે (તેવા કુશાસ્ત્રમાંથી) જલ્પના કરતા (બડબડતા) તે પાખંડી પુરૂષનું વચન લેકેથી પ્રમાણ કરાતું નથી એટલે જનસમાજ પણ તેવા કુશાસ્ત્રવાદી પુરૂષના પુસ્તકને અપ્રમાણુ માને છે .
કશાસ્ત્ર–ખરાબ ઉપદેશથી મનુષ્ય મર્યાદા છેડી નીતિ વિરુદ્ધ કાર્ય કરે છે તેને લીધે રાજાની શિક્ષા ભેગવવી પડે છે. કદાચ ચાલાકીથી તેમાંથી બચી