SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ––ભાગ ૨ જે. અષ્ટમ છે, તેમ જેને શ્રીનિંદ્ર ભગવાનના વચનરૂપી રસાયનનું દર્શન થયેલ નથી તે મનુષ્ય કુતત્ત્વને રસાયન માને છે–અર્થાત્ અતિ મિષ્ટ માને છે. ૨૬. મિથ્યાત્વરૂપી ઝેર મનુષ્યને શું કરતું નથી? ददाति दुःखं बहुधातिदुःसहं, तनोति पापोपचयोन्मुखं मतम् ।। यथार्थबुद्धिं विधुनोति पावनी, करोति मिथ्याखविषं न किं नृणाम् ॥२७॥ અતિદુસહ એવા દુખનું બહુ પ્રકારે દાન કરે છે અને પાપના ઉપચય (વૃદ્ધિ) માં ઉન્મુખ થયેલા મતને વિસ્તારે છે તથા પવિત્ર એવી સત્ય બુદ્ધિને નાશ કરી નાખે છે. એમ મિથ્યાત્વરૂપી ઝેર મનુષ્યોને શું કરતું નથી? અર્થાત સંપૂર્ણ રીતે અમંગલને ઉદ્ધવ કરે છે. ૨૭. ભવ્ય લોકો શું કરે છે? अनेकधेति प्रगुणेन चेतसा, विविच्य मिथ्याखमलं सदूषणम् । વિજય નૈનેન્દ્રમાં યુવાવ, માન્તિ મળ્યા મારવમીવઃ ૨૮ ___ सुभाषितरत्नसन्दोह. આ પ્રમાણે અત્યંત દૂષણવાળા મિથ્યાત્વને સરલ (મધ્યસ્થ) ચિત્તવડે અનેક પ્રકારે વિવેચન કરીને સંસારના જન્મમરણાદિક દુઃખથી ભય પામેલા ભવ્યજીવે તે મિથ્યાત્વને ત્યાગ કરીને સુખને વહન કરનારા (આપનારા) / જિતેંદ્રના મતને જ ભજે છે. ૨૮. પ્રભુના ધામમાં જતી વખતે અટકાવનારા મજબૂત કિલ્લાઓ. शैथिल्यमात्सर्यकदाग्रहक्रुधोऽनुतापदंभाविधिगौरवाणि च । प्रमादमानौ कुगुरुः कुसङ्गतिः, श्लाघार्थिता वा सुकृते मला इमे ॥२९॥ અધ્યાત્મરક્મ. સુકૃત્યમાં આટલા પદાર્થો મેલરૂપ છે–શિથિલતા, મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ, દંભ, વિધિહીનતા, ગૈારવ, પ્રમાદ, માન, કુગુરૂ, કુસંગ અને આત્મપ્રશંસાશ્રવણની ઈચ્છા; આ સર્વ પુણ્યમાં મેલરૂપ છે. નીચે સ્પષ્ટ કરેલા પદાર્થો પુણ્યકાંચનની પર મેલ જેવા છે, એ શુદ્ધ જળને ઓળી નાખનારા છે, ચંદ્રમાં કલંક જેવા છે, માટે તેમને ઓળખી કાઢવા. એ આખું લીસ્ટ નથી. પણ આગેવાન ડાળનારા એમાં આવી જાય છે, ધમકૃત્ય–આવશ્યક કિયા ચૈત્યવંદનાદિમાં મંદપણું તે શૈથિલ્ય. પરના ગુણેને સહન ન કરવા, તે તરફ ઈર્ષ્યા કરવી એ માત્સર્યા. પિતાથી
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy