________________
વ્યાખ્યાન સાહિત્યસ’બ્રહ—ભાગ ૨ જો.
મ
પ્રાણેાના નાશ કરવામાં સમર્થ એવા ઝેરનું. ભક્ષણ કરવું સારૂં. સિંહાર્દિ હિ'સક પ્રાણીઓ જેમાં વિદ્યમાન છે. એવું વન સેવવું. (એટલે એવા વનમાં જઇને રહેવું) તે પણ સારૂં. અગ્નિની જવાળાઓમાં પ્રવેશ કરવા તે પણ સારૂં. પર'તુ મિથ્યાત્વથી યુક્ત એવું મનુષ્યનું જીવતર સારૂં નહિ. ૧૯.
૧૮૪
સિ’હાદિ પ્રાણીકરતાં પણ મિથ્યાત્વરૂપી શત્રુને વધારે ક્રૂર જાણવા.
करोति दोषं न तमत्र कैंसरी, न दन्दशूको न करी न भूमिपः । अतीव रुष्टो न च शत्रुरुद्ध तो यमुग्रमिथ्यात्वरिपुः शरीरिणाम् ||२०|| ઉગ્ર એવા મિથ્યાત્વરૂપી શત્રુ મનુષ્યેના જે દોષને ( સંકટને) ઉત્પન્ન કરેછે તે દોષ (દુઃખ ) ને સિંહ, ઝેરી સર્પ, મત્તહુસ્તી, અત્યંત કોપાયમાન થયેલા રાજા, તથા ઉદ્ધૃત એવા શત્રુ પણ કરી શકતા નથી.
સારાંશ—સિંહાર્દિક તે એકજ ભવનું દુઃખ આપી શકેછે, પરંતુ મિથ્યાત્વ તે અનંતભવનું દુઃખ આપેછે, એટલે કે અનંતભવમાં જંતુને ભ્રમણ કરાવનાર મિથ્યાત્વજ છે, ૨૦.
મિથ્યાત્વયુક્ત પુરૂષ શુદ્ધ ચારિત્ર પાળે તેપણ તે સસારમાંથી મુક્ત થતા નથી.
दधातु धर्म दशधा तु पावनं, करोतु भिक्षारानमस्तदूषणम् 1. तनोतु योगं धृतचित्तविस्तरं, तथापि मिथ्यात्वयुतो न मुच्यते ॥ २१ ॥
મિથ્યાત્વથી યુક્ત એવા મનુષ્ય દશ પ્રકારે ( એટલે જે ક્ષમા વિગેરે દશ પ્રકારનેા શ્રમણ ધર્મ છે તે પ્રમાણે) પવિત્ર ધર્મનું પાલન કરે. દૂષણરહિત એટલે બેતાલીશ પ્રકારનાં દોષરહિત ભિક્ષા માગી લેાજન કરે તથા ચિત્તના વિસ્તારને રૂંધનારા એવા યોગને ધારણ કરે તેાપણુ તે મનુષ્ય સંસારથી મુક્ત થતા નથી. ૨૧.
મિથ્યાત્વવાળાની સર્વ ક્રિયા નિષ્ફળ,
ददातु दानं बहुधा चतुर्विधं करोतु पूजामतिभक्तितोऽर्हताम् । दधातु शीलं तनुतामभोजनं, तथापि मिथ्यात्ववशो न सिध्यति ||२२||
મહુ પ્રકારે ચાર પ્રકારનું દાન ( અભયદાન, જ્ઞાનદાન, અન્નદાન, ઔષધદાન) કરે અને અતિ ભક્તિથી અર્હત્ ભગવાનની પૂજા કરે, સુંદર શીળને ધારણ કરે અને ઉપવાસ વિગેરે તપસ્યા કરે, તેાપણુ મિથ્યાત્વથી યુક્ત એવા મનુષ્ય સિદ્ધ થઇ શકતા નથી. ૨૨.