SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. સપ્તમ સંક્ષિપ્તમાં દેવતાયને અર્થ એ છે કે આપણે હાથ સર્વે હાથેસમસ્ત દેશને અર્પણ કરવો, આપણું મન સર્વ મનને અર્પણ કરવું અને આપણું હિત દેશના હિતને અર્પણ કરવું. બીજા શબ્દમાં બોલીએ તે તમતિ (તે તું છે) એ મંત્રને વ્યવહારમાં આણુ એજ ખરે યજ્ઞ છે. અફસ! જ્યાં માત્ર સીક્કા (છા૫) નું જ અસ્તિત્વ હોય છે, અતકરણને બિલકુલ ભાવ અથવા નિશ્ચય હેતે નથી ત્યાં આવા ઢંગમાંથી શું ફળની આશા રાખી શકાય? અને જ્યાં કઈ પણ ભાવના કિંવા કલ્પનાને સંપર્કસુદ્ધાં હેત નથી, માત્ર બાહ્ય અર્થશૂન્ય વિધિ કિંવા ચિહેને બે જજ આ૫ણપર લાદવામાં આવતું હોય ત્યાં ગતપ્રાણ (પ્રાણવગરનું) થયેલું શરીરજ માત્ર શેષ રહે છે. આવા શબ્દને તત્કાળ દહન દઈ દે. તેની સુશ્રુષા કર્યા કરશે નહિ. હવે એ કાર્ય ભયંકર અને વિઘાતક નિવડશે. હવે તે સજીવ હેય તેવાં ચિન્હ કિંવા વિધિઓને સ્વીકાર કરે. કેટલાક લોકો એવા છે કે તેઓ પ્રાચીનગત વિભવનું સતત સ્મરણ કરી બેસી રહેવું એને મૂર્તિમંત સ્વદેશાભિમાન સમજે છે! આ લેકેને નવીન પરિસ્થિતિમાં પિતાના જૂના ઘરને બેજે પોતાની પીઠ પર લઈને ફરનારી ગોકળગાયની જ ઉપમા આપવી જોઈએ અથવા આ લેકેને જૂની અને નિરૂપયેગી. થઈ ગયેલી ખાતાવહીના પથાનાં પાનાં ઉથલાવતા બેસી રહેનારા દીવાળીઆ પેઢીદારજ કહેવા જોઈએ. હવે વિચાર કરવામાં વખત ગુમાવશે નહિ. હિંદ દેશ એક વાર મહાન ગણાઈ ગયા છે. સર્વને એકત્ર કરો. તમારું બળ અમર્યાદ છે. ખરી લાગણી ઉત્પન્ન કરો એટલે હિંદુસ્તાન પુનઃ મ. હાન થશે. યજ્ઞથી દુઃખનિવૃત્તિ થાય છે” એ સુત્ર પ્રાચીનકાળમાં જેટલું સત્ય હતું તેટલું આજે પણ સત્ય છે; પરંતુ નિરપરાધી પશુઓનું બલિદાન આપવાથી નહિ, પણ પ્રેમ દેવીની આગળ પક્ષાભિમાન, જાતિઅભિમાન, મત્સર, ઈષ્ય વિગેરેને ભેગ આપવાથી જ આ ભૂમિમાં સ્વર્ગ આવી રહેશે. આ પ્રમાણે સત્ય વાત સમજાવીને આ અધિકારની સમાપ્તિ કરવામાં આવેછે. ૭ જાઉ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy