SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. સપ્તમ પરંતુ નારાયણસ્વરૂપ લાખો ગરીબ લેકનાં અસ્થિ તથા માંસ ભક્ષ કરી જતા જઠરાગ્નિના મુખમાં સૂકા રોટલાના સાત દિવસના વાસી ટુકડા શામાટે નાંખતા નથી? આવા હવનની આજે હિંદુસ્તાનને વધારે આવશ્યકતા છે. વળી હુજારે માણસને એક દિવસમાં જમાડ્યાં તેમાં શું દહાડો વળે? આવા વિવેકરહિત પાપકારથી માત્ર સંભાવિત ભિખારીઓની સંખ્યા વધે છે. હિંદુસ્તાનમાં આ સર્વ દૈન્ય અને દારિદ્ર શાથી વધ્યાં છે? દેશ, કાળ અને સત્પાત્રને વિચાર ન કરીને આપેલા દાનથી. પંચમહાભૂતને દેવતા કલ્પીને તેમની સાથે માત્ર એક પ્રકારની દુકાનદારીને જ વ્યવહાર રાખવામાં આવ્યું હતું એમ કહેવામાં કાંઈ હરકત નથી. આ વ્યાપારમાં કાંઈ આધુનિક મારવાડીપણું દાખલ થયું નહોતું પરંતુ તેમાં લેણદેણ અને અરસપરસના કાયદાની વણિગવૃત્તિ તે અવશ્ય હતી જ. આ સ ય માત્ર “જો પર અવલંબી રહ્યા હતા. જે વરસાદ જેઈતા હોય તે આ યજ્ઞ કરે; જે પ્રજોત્પત્તિની ઈચ્છા હોય તે પેલે યજ્ઞ કરે; જે વિજયની લાલસા હોય તે અમુક યજ્ઞ કરે, જે દ્રવ્યની આવશ્યકતા હોય તે કેઈ ઇતર યજ્ઞ કરે ઇત્યાદિ. આ પ્રમાણે આ સવે ય માણસની પિતાના કામનાપર અવલંબી રહેલા હોવાથી તેઓ પ્રથમ ફરજીઆત નહોતા, પણ એચ્છિક હતા; પરંતુ ધીમે ધીમે તે શિષ્ટાચાર અને રીવાજતરીકે રૂપાંતર પામ્યા અને આખરે મનુષ્ય પોતે જ પોતાની જાત પર લાદેલા નિત્યકર્મતરીકે તેને ઉપાડવા લાગ્યા. આગળ “રામ” જણાવે છે કે સ્મૃતિ (કાયદા), રૂઢિ, આચાર, વિધિ, સંસ્કાર-કર્મકાંડ-બદલાતાં ગયાં છે એટલું જ નહિ પણ એકજ દેશના જુદા જુદા ભાગમાં તે ભિન્ન ભિન્ન છે. કેઈ પણ સમાજની જીવિત દશાને આધાર તે સમાજના ચલિતપણું, વૃદ્ધિ અને ઉચિત ફેરફાર કરવા પર રહેલે છે “પરિવર્તન (ફેરફાર) કરે, નહિ તે મરે.” એ સૃષ્ટિને ઉગ્ર મંત્ર છે. આટલામાટે આપણે આપણું કર્મકાંડ બદલી પરિસ્થિતિને અનુકુળ કરવાં જોઈએ—આપણી આવશ્યક્તાએ વેદકાલીન ઋષિઓની આવશ્યક્તાથી ભિન્ન છે, જે “” ના ઉપર સર્વ કર્મકાંડ અવલંબી રહ્યા હતા તે “જે.” (કામના) હવે બદલાઈ ગયા છે. જે તમારે હેર જોઈએ તે ઇંદ્રદેવને બલિદાન આપે, જે તમારે સંતતિ જોઈએ તે પ્રજાપતિને સંતુષ્ટ કરે, ઇત્યાદિ પ્રશ્ન આજે આપણી સમક્ષ નથી. આજના કર્મકાંડ નીચે પ્રમાણે પરિવર્તન પામેલા સ્વરૂપમાં હોવા જોઈએ. દિવસે દિવસે વધતા જતા અને સુધરતા ઉદ્યોગ ધંધાના આ જમાનામાં જે તમારે જીવતા રહેવું હોય અને રાષ્ટ્રીય ક્ષયથી ધીમે ધીમે ક્ષીણ થઈને મરવું ન હોય તે વિદ્યુતરૂપી માતરિધાને
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy