SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ પરિચછેદ. યજ્ઞનું સત્યસ્વરૂપ-અધિકાર જેમાં સત્યરૂપી યજ્ઞસ્તંભ છે, તારૂપી અગ્નિ છે, પ્રાણરૂપી સમિધુ છે અને અહિંસારૂપી આહુતિ અપાય છે, તે સનાતન યજ્ઞ છે. ૧૩. કેવા અગ્નિહોત્રની જરૂર છે? तपोमो जीवकुण्डस्थे, दममारुतंदीपिते । असत्कर्मसमित्क्षेपैरग्निहोत्रं कुरूत्तम ॥ १४ ॥ હે ઉત્તમ પુરૂષ! જીવરૂપી કુંડમાં તપરૂપી અગ્નિને દમ-ઈદ્રિય દમનરૂપ પવનવડે પ્રજવલિત કરી તેમાં નઠારા કર્મરૂપી સમિધુ (કા૪) નાંખી અગ્નિહેમકર્મ એટલે કર્મોને તપથી ભસ્મ કરી શુદ્ધ થા. ૧૪. યજ્ઞપશુની એક વ્યાજબી દલીલ. शार्दूलविक्रीडित. नाहं स्वर्गफलोपभोगतषितो नाभ्यर्थितस्वं मया, सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्ग यान्ति यदा खया विनिहता यज्ञे ध्रुवं पाणिनो, यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥ १५ ॥ સૂરિમુવર્જી. યજ્ઞમાં હેમવાને તૈયાર કરેલો પશુ યજમાનને કહે છે કે, હે યજ્ઞ કર નાર સાધુપુરૂષ! હું સ્વર્ગના ફળને ઉપભેગ કરવાની તૃષ્ણાવાળો નથી. તેમ મેં તેને માટે તારી પાર્થના પણ કરી નથી. હું તો ઘાસભક્ષણ કરી સદા સતિષ પામી રહું છું, તેથી મારે હેમ કર, એ તને ઘટિત નથી. તે યજ્ઞમાં હણેલાં પ્રાણુઓ જે નક્કી સ્વર્ગે જતાં હોય તો તારાં માતાપિતા, પુત્ર અને બાંધનો હેમ કરી યજ્ઞ કેમ કરતા નથી? ૧૪. ગરીબ માટે સાધન તે યજ્ઞ. આ વાત લક્ષમાં રાખવી જોઈએ કે હવન કરવા અને લેકેને જમાડવા એ બન્ને બાબતેની હવામાં જે રસાયનિક ક્રિયા થાય છે તે સરખીજ છે. ત્યારે કૃત્રિમ અગ્નિના મુખમાં અમૂલ્ય ઘીને અપવ્યય કરવાને બદલે ભૂખે મરતાં " સ્વામી રામતીર્થ–ભાગ બીજે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy