SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ લેટ નાંખે છે તેથી વધારે કીડીએ ત્યાં આવે છે અને એ ઉપાય પત્રોત્પત્તિને માને છે. કારણકે બિચારા ભેળા લેકે ધર્મતત્ત્વના અજાણ અને કર્મપ્રકૃતિને વિશ્વાસ નહિ ધરાવનાર હોવાથી તેઓ લાભાલાભને વિચાર નહિ કરીને કેટલાક દેશોમાં એવી ક્રિયા કરનારા જોવામાં આવે છે. પરંતુ આ સ્થળે વિશેષ વિચાર કરવાનો અવસર છે કે લેટ અને સાકર નાંખવાથી કીડીઓ ઘણી એકઠી થાય છે. પરંતુ કેઈ બીજે જીવ તે લેટ તથા સાકર ખાઈ જાય છે તે તેની સાથે ઘણી કીડીઓનો સંહાર થઈ જાય છે. ઘણે ઠેકાણે જોવામાં પણ આવ્યું છે કે તે જીવ લેટ ચાટી જઈને ઘણું કીડીઓને સંહાર કરી નાંખે છે. આ એક વાત થઈ. બીજી વાત એ છે કે કીડી સંમુર્ણિમ જીવ હોવાથી માતાપિતાના સંગ વિના ઉત્પન્ન થાય છે, તે લેટ અને સાકરના મળવાથી હવાને સંગ થતાં નવી કીડીએ પારાવાર ઉત્પન્ન થાય છે અને તેની હિંસા થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે કેટલાએક ધર્મનાં કાર્યો કરવા જતાં ઉલટે અધર્મ થઈ જવા સંભવ રહે છે. अष्टादशपुराणेषु, व्यासस्य वचनद्वयम् । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ।। અંક –પૃષ્ઠ ૨૧૬. સકલ દર્શનકાએ હિંસાની અધર્મમાં ગણત્રી કરેલ છે અને સર્વથી શ્રેષ્ઠ દયાધમને જ માન્ય છે. એમાં કેઈ આસ્તિકને વિવાદ નથી. તે પણ દરેક ધર્મવાળાઓને આ સ્થળે શાસ્ત્રીય પ્રમાણ દેવાથી વધારે દઢતા થશે. એટલામાટે હિંદુમાત્રને માનનીય મનુસ્મૃતિ તથા મહાભારત અને કુમ વગેરે પુરાણેની સાક્ષી આપવામાં આવે છે. એમાં પહેલાં મનુસ્મૃતિને જુએ. योऽहिंसकानि भूतानि, हिनस्त्यात्मसुखेच्छया । सजीवँश्च मृतश्चैव, न क्वचित् सुखमेधते ॥ આ નિર્ણયસાગરમાં છપાયેલી મનુસ્મૃતિ-અ. ૫-ક ૪પ-પૃષ્ઠ ૧૮૭. તેમજ– થો વનવાન, કાળનાં વિક્રીતિ ! स सर्वस्य हितप्रेप्सुः, सुखमत्यन्तमश्नुते ॥" ચ હિંસાનને અર્થ_નિરપરાધી જીવોને જે પિતાના સુખની ઇચ્છાથી મારે છે, તે તે ક્ષે પણ મરી ગયા તુજ છે. કારણકે તેને ક્યાં પણ સુખ મળતું નથી..
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy