________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે.
સક્ષમ કહે કે અમે જીવ મારતા નથી અને અમારેમાટે હિંસા પણ થતી નથી તે એ પ્રમાણે કહેવું તે પણ ફેકટ છે. કારણકે જો કોઈ માંસ ખાનાર ન હોય તે કસાઈ લેકે બકરા વિગેરેને વધ શામાટે કરે? એ કારણથી જ ધર્મશા
માં પણ એક જીવની પછવાડે આઠ માણસને પાપના ભાગીદાર ગણવામાં આવેલા છે. જેમકે
अनुमन्ता विशासिता, निहन्ता क्रयविक्रयी । ।
संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥ અર્થ–મારવામાં સલાહકાર, શસ્ત્રવડે મરેલા જીના અવયવને અલગ. પાડનાર, મારનાર, પૈસા આપી લેનાર તથા વેચનાર, સમારનાર, પકાવનાર, તેમજ ખાનાર—એ બધા ઘાતકીજ કહેવાય છે. આ સ્થળે કેટલાએક માંસાહારી લેકે એ પ્રશ્ન કરે છે કે જે એમ છે તે ફલાહારી પણ ઘાતકી જ કહી શકાય, કેમકે શાસ્ત્રકારોએ વનસ્પતિ વિગેરેમાં પણ જીવ માનેલ છે, છતાં ફલાહારી અને ધમધ માણસે માત્ર માંસાહારી ઉપરજ શામાટે આક્ષેપ કરે છે? એને ઉત્તર એ છે કે સર્વ જીવ પોતપોતાના પુણ્યાનુસાર જેમ જેમ ઉચ્ચ ઉચ્ચ પદવીને પ્રાપ્ત કરતા જાય છે, તેમ તેમ તેને વધારે પુણ્યવાન ગણવામાં આવે છે. એ કારણથી જ એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય ચઉરિંદ્રિય અને પંચદ્રિય એવા સૃષ્ટિમાં રહેલા સર્વ જીવોના મૂળ પાંચ ભેદ માનવામાં આવેલા છે. એમાં એકેંદ્રિય જીવકરતાં બેઈદ્રિય જીવ વધારે પુણ્યવાન હોય છે, તેમજ બેઇદ્રિયથી તેઈદ્રિય, તેઈદ્રિયથી ચઉરિંદ્રિય અને ચઉરિંદ્રિયથી પંચંદ્રિય એવી રીતે સર્વોત્કૃષ્ટ જીવ પંચંદ્રિયને ગણવામાં આવેલા છે. પંચેંદ્રિયમાં પણ ઓછાવત્તા પ્રમાણના પુણ્યવાળા જ હોય છે, અર્થાત તિર્યંચ પંચેંદ્રિય (બકરા-ગાય-ભેંસ વગેરે) માં હાથી વધારે પુણ્યવાળે છે, તેમજ મનુષ્ય વર્ગમાં રાજા, મંડલાધીશ, ચક્રવર્તી અને યેગી વધારે પુણ્યશાળી હેવાને લીધે તેઓને મારવાને શાસ્ત્રમાં સખ્ત મનાઈ કરવામાં આવેલ છે. કારણકે યુદ્ધ કરતાં કદાચ રાજા પકડાઈ જાય તે પણ તેને મારવામાં નથી આવતા. એથી એવું સાબીત થાય છે કે, એકેંદ્રિયકરતાં બેઈદ્રિયને મારવામાં અધિક પાપ છે, બેઈદ્રિયકરતાં તેઇદ્રિયને મારવામાં અધિક પાપ છે, એમ વધારે વધારે પુણ્યશાળીને મારવામાં વધારે વધારે પાપ થાય છે. જેથી કરીને
જ્યાંસુધી એકેંદ્રિય જીવવડે નિર્વાહ થઈ શકે ત્યાં સુધી પચેંદ્રિય જીવને મારે એ તદ્દન અગ્ય જ છે. જે કે એકેદ્રિયને મારે તે પણ પાપ થવાનું જ કારણ છે; પરંતુ ખોરાકીમાટે કેઈ બીજો ઉપાય ન હોવાથી (અણછુટકે) તે કાર્ય લાચારીથી કરવું પડે છે, એથી કરીને જ કેટલાએક ભવ્યજીવ આવા પાપના ભયથી ધનધાન્ય, રાજપાટ વિગેરેનો ત્યાગ કરી સાધુ થઈ જાય છે અને (યાજજીવ) જીવે ત્યાં સુધી પાણ, અગ્નિ, વનસ્પતિ વિગેરેને