SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આ સર્વને તેમજ અન્ય મદદ કરનાર ગૃહસ્થને આ સાહિત્યપ્રકાશક મંડળ પૂર્ણ ઉપકાર માને છે અને તેઓની ઉચ્ચ મનોવૃત્તિને અભિનંદન આપે છે. | મુનિમહારાજ શ્રીવિનયવિજયજી તે આ પુસ્તકના કર્તા તથા તેમના ઉપદેશથીજ આ સાહિત્યપ્રકાશક મંડળની ઉત્પત્તિ થયેલી હોવાથી તેઓ આ મંડળના કાર્યને પિતાથી બની શકતી મદદ આપે છે તથા અપાવેજ છે. તેઓને પણ વખતે વખત સલાહકારક શ્રીમાન શ્રીવલ્લભ વિજયજી મહારાજ છે તથા પૂજ્ય મુનિ શુભવિજયજીના શિષ્ય કનકવિજયજીએ પણ પિતાને નાથી બનતી દરેક મદદ કરી છે. આ મંડળદ્વારા સંઘનું કાંઈ પણ શ્રેય થશે તો તે પ્રતાપ અને પ્રભાવ શ્રીમુનિ મહારાજ છે એમ ખરા અંતઃકરણથી આ મંડળ માને છે. આ પુસ્તકમાં, હસ્તષથી, યાતે છપામણીથી, કાંઈ પણ સ્કૂલના થઈ હાય, અગર તે બુદ્ધિના દોષને લીધે જેન શાસ્ત્રથી કાંઈ પણ વિરૂદ્ધ લખાણું હોય તો તે બાબત સર્વ સજજન પાસે ક્ષમા માગવામાં આવે છે અને તેઓએ આ મંડળને ભૂલ જણાવવા કૃપા કરવી કે જેથી બીજી આવૃત્તિમાં તે ભૂલ સુધારી શકાય. આ ગ્રંથમાં કયા કયા ગ્રંથમાંથી àકે લીધા છે તેની સરલ સમજણમાટે કલેકેની નીચે ગ્રંથાનાં નામે ટાંક્યાં છે એટલે એક ગ્રંથનું નામ આવી ગયું ત્યાર પછી જે ગ્રંથનું નામ આવે તે ગ્રંથના તેટલા કે છે એમ જાણવું. જેમકે પત્ર ૧૩૨ માં ૯ થી ૧૫ સુધી શ્લેક સાત સૂક્તિમુક્તાવલીના સમજવા; એમ સર્વ ઠેકાણે વિચારવું. આ ગ્રંથની પહેલા ભાગની બાળબોધ ટાઇપમાં બીજી આવૃત્તિ છપાવવાને આ મંડળે જે વિચાર બહાર બતાળે હતો તે વિચાર અચાનક લડાઈ ફાટી નીકળવાથી કાગળની મેંઘવારી થવાને લીધે બંધ રાખે છે અને આ બીજો ભાગ પણ કાગળની મેંઘવારીને લીધે પડતી કિંમતે વેચવા જેવું કર્યું છે. અહીં જામનગરમાં જે સાહિત્યપ્રકાશક મંડળની સ્થાપના કરવામાં આવી છે તે જેમ પોતાના સાહિત્ય આદિ ગ્રંથે છપાવશે તેમ કઈ મુનિમહારાજે અથવા કઈ શ્રાવકવર્ગની ઈચ્છાનુસાર ચોગ્ય વ્યવસ્થા કરી તેઓશ્રીનાં પણ મુંબઈમાં નિર્ણયસાગરની હરિફાઇમાં ઉતરે તેવાં પુસ્તક છપાવી આપવા ખંત બતાવે છે. કારણકે આ મંડળને અંગે સંસ્કૃત ભાષાનાં પુસ્તકના સંશોધનને સારૂ ખાસ એક વિદ્વાન પંડિતને માટે ખર્ચે રોક્યા છે અને વિશેષ કાર્યક્રમ વધવાની આશાથી બીજા વિદ્વાન પંડિતને સલાહ લેવા એજેલ છે. તેમજ આવા કાર્યમાં કાયમ લહીઆની જરૂર હોવાથી તેની પણ ગોઠવણ કરી છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy