SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પરિક સિદ્ધાચળ માહાત્મય-અધિકાર.' - ૩૫ શ્રી નાભી રાજાના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાનને વંદના કરવાથી મિથ્યાત્વરૂપી વિષનો ઉદ્દગાર ટુંકે થઈ જાય છે અને સમ્યમ્ દષ્ટિરૂપી અમૃતના રસનો ઉદ્દગાર લાંબે થઈ જાય છે. ૭ શ્રી શત્રુંજયનું પ્રમાણ વસંતતિલ. शत्रुञ्जयाद्रिरयमादियुगे गरीयान् , भासीदसीमसुकृतोदयराशिरेव ।। आदीयमानसुकृतः किल भव्यलोकैः, काळे कलौ भजति सम्प्रति दुर्बलत्वम् ॥ ८॥ * આ શત્રુંજય પર્વત આદિ યુગને વિષે અનંત સુકૃતેના ઉદયને અતિ મહાન રાશિ-ઢગ હતું, પછી ભવ્ય જીવેએ તેમાંથી સુકૃતેને ગ્રહણ કરવા માંડયા, તેથી આ કલિયુગને વિશે હાલ તે દુર્બલ પણાને પ્રાપ્ત થયા છે. ૮ * મનુષ્ય જન્મ તથા પ્રાપ્ત થયેલ વૈભવની સફળતા કેમ થાય? થાય. (૯ થી ૧૧) एअं जम्मस्त फलं, सारं विहवस्स इत्ति चेव । जं अञ्चिज्जइ गंतुं, सित्तुंजे रिसहति त्थयरो ॥९॥ શત્રુંજય ગિરિ પર જઈને શ્રી રાષભદેવ તીર્થકરની પૂજા કરવી તેજ મનુષ્ય જન્મનું ફળ છે અને પ્રાપ્ત થયેલા વૈભવને સાર પણ તેજ છે. ૯ જ તપયુક્ત યાત્રાનું ફળ. छटेणं भत्तेणं अपाणएणं तु सत्त जताओ । ओ कुणइ सित्तुंजे सो तइअभवे लहइ सिद्धिम् ॥ १० ॥ પર્વે શત્રુંજય પર્વતની જે ઊંચાઈ હતી, તે હાલ ઓછી છે, તે ઉપર કવિએ આ અલંકાર કહપના કરેલી છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy