SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ . પંચપરમેષ્ઠિ સ્મરણ માહા-અધિકાર. પચ પરમેષ્ઠિના નમસ્કારનું ફળ. અનુષ્ક. (૧ થી ૨૩) अपवित्रः पवित्रो वा, सुस्थितो दु:स्थितोऽपि वा । ध्यायेत्पश्चनमस्कारं, सर्वपापैः प्रमुच्यते ॥१॥ (કેઈ) અપવિત્ર કે પવિત્ર અવસ્થામાં હોય, સારી સ્થિતિમાં હોય કે નઠારી સ્થિતિમાં હોય પણ જે તે પંચ નમસ્કારનું ધ્યાન કરે છે તે તે સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. ૧ પરમાત્માના સ્મરણનું ફળ. अपवित्रः पवित्रो वा, सर्वावस्थाङ्गतोऽपि वा। यः स्मरेत्परमात्मानं, स बाह्याभ्यन्तर शुचिः ॥२॥ જે અપવિત્ર કે પવિત્ર હોય અથવા સર્વ પ્રકારની અવસ્થામાં રહ્યો હોય, પણ જે પરમાત્માનું સમરણ કરે છે તે બાહેર અને અંદર પવિત્ર થઈ જાય છે. ૨ પરમાત્માના અપરાજિત મંત્રનું ફળ. अपराजितमन्त्रोऽयं, सर्वविघ्नविनाशकः । मङ्गलेषु च सर्वेषु, प्रथमम्मङ्गलं मतम् ॥ ३ ॥ જે અપરાજિત યાને બીજાથી જીતી ન શકાય એવો) પંચપરમેષ્ટિ મંત્ર છે, તે સર્વ વિજોને નાશ કરનારે છે, અને સર્વ મંગળમાં પ્રથમ મંગળરૂપ છે. ૩ - અહંમ પદનું સ્વરૂપ. मईमित्यक्षरं ब्रम, वाचकं परमेष्ठिनः । सिद्धचक्रस्य सदीजं, सर्वतः प्रणमाम्यहम् ॥४॥ અ” એ અક્ષર બ્રહ્મરૂપ છે, પંચપરમેષિને વાચક છે અને સિદ્ધચક્રનું ઉત્તમ બીજરૂપ છે. તેને હું સર્વ પ્રકારે પ્રણામ કરું છું. ૪ સિદ્ધચકને નમસ્કાર, कर्माष्टकविनिर्मुक्तं, मोक्षलक्ष्मीनिकेतनम् । सम्यक्त्ववादिगुणोपेतं, सिद्धचक्रं नमाम्यहम् ॥५॥ આઠ કર્મોથી મુકત થયેલું, મેક્ષ લક્ષમીનું સ્થાનરૂપ, અને સમ્યકત્વાદિ ગુણ વાળું જે સિદ્ધચક્ર પર છે, તેને હું નમસ્કાર કરું છું. ૫
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy