SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ અહંદુ ભકિત-અધિકાર સિદ્ધસ્તુતિ-અધિકાર. કહ્યું છે. કદિ તેવા ધર્મ કૃત્યથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે પણ પરમાર્થ વૃત્તિએ વિચારતાં મેક્ષ ફળ ન આપવાથી તે નિષ્ફળ છે. માટે સમ્યક દષ્ટિથી કરાતો જે ધર્મ તેજશુદ્ધ ધમ જાણવે. એ ધર્મ પામવાથી અવશ્ય એક્ષપ્રાપ્તિ થાય છે. એ સમ્યકત્વ મિથ્યાત્વાદિક પાપકર્મને નાશ કરવાથી પ્રાપ્ત થાય છે, મિથ્યાત્વાદિને નાશ તથાભવ્યતા પાકવાથી થઈ શકે છે. એવી તથાભવ્યતા અરિહંતાદિક ચાર શરણ આદરવાથી, દુષ્ટકૃત્યને નિંદવાથી અને સુકૃત્યને અનુમેદવાથી પાકે છે, માટે શુદ્ધ ધર્મના અથી અને મોક્ષના અભિલાષી ભવ્ય જીએ ચાર શરણાદિકને અંગીકાર કરવાનો તેમજ ઉપર બતાવ્યા પ્રમાણે સાલંબન ધર્મ કરણ કરવાને યથાશક્તિ પ્રયત્ન અવશ્ય કરે. ૯ सिद्धस्तुति-अधिकार. cil ya * શ્રી ભગવાન પછી બીને અધિકાર સિદ્ધ એવા નિરંજન નિરાકારને છે, માટે બીજા અધિકાર તરીકે “સિદ્ધસ્તુતિ” નામના સિદ્ધ પુરૂષના સ્તવનરૂપ અધિકારને ગોઠવવામાં આવે છે. પ્રથમ તેમાં એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કેસિદ્ધ મહાત્માઓ કેને કહેવા? તથા તેની ભાવપૂજા કેવા પ્રકારના ઉપહાર (ચન્દન, તન્દુલ, પુષ્પમાળા, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ, વિગેરે) થી થઈ શકે? તે સમજાવવા સારૂ ભાવપૂજા, કમથી આ અધિકારમાં આપવામાં આવી છે, તેથી શ્રદ્ધાળુ પુરૂષાએ આ સિદ્ધ સ્તુતિના શ્લોકનું અર્થાનુસંધાન પૂર્વક પઠન કરવું, તેથી સિદ્ધપરમાત્માના અનંત ચતુષ્ટયાદિ ગુણે પિતાનામાં પ્રગટ કરવાની ભાવના થાય. શ્રી સિદ્ધ મહાત્માઓના નામનો પ્રભાવ. કપાતિ. यथाग्नितापः सुखदो जनानां शीतं सदा हन्ति न संशयोऽत्र ।। श्रीसिद्धजापो हि तथा च हन्ति पापं प्रकृष्टं च किमत्र चित्रम् ॥१॥ * વાત તથા વઝા તથા પેન્દ્રવઝા નું લક્ષણ સાથેજ સમજી શકાય છે તેથી અત્ર આપવામાં આવે છે. “વગ્રા” વિગ્રા રે તૌ ગનૌ : અર્થાત ત ગણુ ત ગણુ ન ગણ અને છેલ્લા બે અક્ષર ગુરૂ, એમ આ છન્દ ૧૧ અક્ષરને છે. “ વઝા પ્રથમે ઘૌ સા” ઉપરના છન્દમાં દરેક ચરણને ૧ લો અક્ષર લઘુ હોય તે તે ઉન્નતઝા કહેવાય છે અને “ મનન્તરોહીતિમાનૌ જાલૌવહીયાવાગતયતાઃ” ઇન્દ્રવજા તથા ઉપેન્દ્રવજીના ચરણે મિશ્રિત હોય તે સપનાતિ કહેવાય છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy