SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ પર્યુષણ પર્વ-અધિકાર.. પર્યુષણ પર્વ અને શ્રાવકો. આઠ દિવસનું પર્યુષણ પર્વ શ્રાવકોએ પરમ શાન્તિમાં વ્યતીત કરવું જોઈએ. પ્રાચીનકાળથી આ પર્વમાં શ્રાવકે વ્રત પ્રત્યાખ્યાન કરે છે. દાન, શિયલ, તપ અને ભાવના ભાવે છે તથા સાધુ મુનિરાજેની વૈયાવચ્ચ કરે છે, એટલું જ નહિ તપસ્વી શ્રાવકેનું પણુ પૂર્ણ ભાવથી વૈયાવચ્ચ કરે છે, આ બધું ભ્રાતૃભક્તિ વધારવાનું ખાસ સાધન છે. જગતમાં ભાઈચારે થાય તે જ દેશોન્નતિ થઈ શકે છે. પર્યુષણ પર્વમાં શી રીતે વર્તવું જોઈએ? આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે અખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખવે, સઘળા જીવ, ભૂત, પ્રાણ, સત્વ તરફ અભેદ દષ્ટિ રાખવી, દરેક તરફ પૂર્ણ પ્રેમની નજરે જવું. એવી ભાવના રાખવી કે અખિલ વિશ્વમાં સઘળે આત્મસ્વરૂપ જ છે માટે કેની તરફ રાગદ્વેષ કરે, સઘળે મારાંજ રૂપ છે. મારે, ઈશ્વરનો અને અખિલ વિશ્વના પ્રાણીઓને અભેદ છે. કેઈ ભિન્ન નથી જ, એમ જાણું દરેક પ્રતિ પ્રેમ રાખ. મનમાં આનંદમય રહેવું. ઝાઝું બેલવું નહિ, પણ આત્મધ્યાનજ કરવું. આત્મધ્યાનની અનુકૂળતા માટે થોડું ખાવું, ઉપવાસ કરવા, પ્રત્યાખ્યાન (નિયમ) કરવા અને બંને વખતે પ્રતિક્રમણ (આસનજયાદિ માટે ? કરવાં. જિનદેવદર્શન પૂજન કરવાં. મુનિરાજે પ્રતિ ઈશ્વર તુલ્ય ગુરૂભકિત અને ધર્મબંધુ તરફ ભ્રાતૃભાવ રાખીને અખિલ વિશ્વ તરફ આત્મભાવ નાખી વર્તવું. ટંકામાં કહીએ તો પર્યુષણ પર્વના આરાધકે પરમશાંતિ પૂર્વક દરેક ભૂત તરફ આત્મભાવ રાખીને વર્તવું અને આત્મધ્યાનને દેર તૂટવા દેવો નહીં દેરે ન તૂટે તેટલા માટે તેને મદદ કરનારા સામાયિક પ્રતિકમણુદિ બાવશ્યક ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. જેને ન આવડતી હોય તેણે સમભાવથી બીજા પાસેથી શ્રમ વણ કરી તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. ઉત્તમ અધિકારીએ અંતર્મુખ ઉપયોગ ન ભૂલવો જોઈએ અને સાધારણ અધિકારીએ અંતર્મુખ ઉપયોગ કરવા સતત પુરૂષાર્થ કરવો જોઈએ. ટુંકમાં કહીએ તે આત્માભિમુખવૃત્તિ રાખીને વર્તવું એ શ્રમણે અને શ્રવણપાસકેનું પર્યુષણ પર્વમાં પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે. અર્થાત પર્યુષણ પર્વમાં કેવળ આત્માભિમુખ વૃત્તિ રાખીને વર્તવું જોઈએ. પર્યુષણ પર્વના લાભ. આ પર્વથી મનુષ્યમાં અધીનતને ગુણ પ્રાપ્ત થાય છે જુવાનિ અમાવાથી મનમાં દીનતા સાથે અંતઃકરણમાં નિર્મળતા આવે છે. જિનાલયે દ્વારા સંદર્યનું ભાન થતાં પ્રેમ પ્રકટ થાય છે. નિત્ય પ્રત્યે સામાયિકાદિકથી આસન જ્ય થવાં માપુજય, મનેજ કરી શકાય છે, અભેદ ભાવના ભાવતાં અખિલ વિશ્વમાં જ્ઞાનમય આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે. તે ઉપરાંત શ્રી કલપસૂત્રાદિક દ્વારા મહાવીરદિ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy