SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ . ૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ મહાપુરૂષના જીવનચરિત્રનું શ્રવણ થતાં શી રીતે વર્તન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તે પણ સમજી શકાય છે. પર્યુષણ પર્વમાં સાંવત્સરિક પ્રતિક્રમણ. પ્રતિક્રમણમાં પ્રતિ એટલે સાપ અને કમણ એટલે પગલાં ભરવાં આત્મા સામે કે આત્માભિમુખ પગલાં ભરવાં તે પ્રતિક્રમણ. પ્રતિ એટલે ઉલટાં અને ક્રમણ એટલે પગલાં ભરવાં અત્ બહિસ્કૃતિથી ઉલટા એટલે અંત? મુખ પગલાં ભરવાં કે અંતર્દષ્ટિ રાખવા માટે પુરૂષ થે કિ વે તે પ્રતિકમણું, પ્રતિને અર્થ સામે (થવું) લેતાં આત્માવિમુખ વૃત્તિની સામે થઈ કે તેનો પરાજ્ય કરીને આત્માભિમુખ પગલાં ભરવાં એજ ભાવાર્થ થઈ શકે છે. જેઓ આખા વર્ષમાં એક અઠવાડીઆના સવાર સાંજ મળી બે પહોર આત્માભિમુખ વૃત્તિ ન રાખી શકતા હોય તેવા અધિ. કારીએ વર્ષમાં એક દિવસને સાંજને એક સમય તે અત્રશ્ય પ્રતિક્રમણ એટલે આત્માભિમુખ વૃત્તિ રાખવા પ્રયાસ કરવા સારૂ પ્રતિક્રમણ કરવું જોઈએ. આમાભિમુખ વૃત્તિને વર્ષ વર્ષ પ્રતિ એકજ વખતને પ્રવાસ હોઈ આને સાંવત્સરીક પ્રતિકમણ કહેવામાં આવે છે. આ પ્રતિક્રમણ વખતે હમેશાં જે પ્રતિક્રમણ કરે છે તેઓ તથા બીલકુલ જેઓ નથી કરતા તેઓ તમામ મળીને આતમજ્ઞાનના પ્રકા - શક પરમશાંત શ્રી સદગુરૂની સાક્ષીએ આખા વર્ષના પાપને પશ્ચાત્તાપ કરીને હવે પછી તેવાં અપકૃત્યે નહિ કરવા મનમા નિર્ણય કરવામાં આવે છે. આખા વર્ષમાં જગદભિમપ્રવત્તિ રાખવાથી જે કલપનામય સૃષ્ટિને અનુભવ થયો હોય તે રૂપ જે પાપ લાગ્યાં હેય તે આત્માભિમુખવૃત્તિ દ્વારા વિલય કરીને હવે પછી જગાભિમુખ વૃત્તિ નહિં કરતાં બનતાં સુધી આત્માભિમુખવૃત્તિ રાખવાને દઢ નિશ્ચય ક. રવામાં આવે છે એજ સાંવત્સરિક પ્રતિકમણનો હેતુ છે અને તે સર્વમાન્ય છે. જગદભિમુખવૃત્તિને રેકરી વિલય કરી અને આત્માભિમુખવૃત્તિને આદર કરે તે પ્રતિક્રમણ. શ્રી થાનાંગ સૂત્રમાં પણ આશ્રવદ્વારા કે જગદભિમુખવૃત્તિને રોકવી તે પ્રતિક્રમણ કહેલું છે જુઓ “ પંથે દળે” પ્રતિક્રમણ પંચવિધ કીધેલું છે. “માસવાર પરિણામ આશ્રદ્વારબહિર્વત્તિ-કવા રૂપ પ્રતિકમણ મિરઝા પરિવા.” મિથ્યાત્વ—દેહ બુદ્ધિ પ્રતિક્રમણ કરવું, સાથ વહિવાને કષાયને પ્રતિકમાં, દિને મન, વચન અને કાયયેશને પ્રતિક્રમવાં, માવડિશમને ભાવપ્રતિકમણ કરવું. ઉપર પ્રમાણે અને શ્રમણોપાસકાએ સાંવત્સરિક પ્રતિક્રમણ ફરજીઆત કરવાનું હોઈ, તે પ્રતિકમણ અવશ્ય પર અભાવ પૂર્વક કરવું અને સર્વ જી.. ને શુદ્ધાંતઃકરણ પૂર્વક ગદગદ કંઠે થઈ ખમાવીને સર્વત્ર અભેદભાવને ભાવીને નિ. જસ્વરૂપમાં લીન થઈ જવું એજ સાંવત્સરિક પ્રતિક્રમણને હેતુ છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy