SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ પર્યુષણ પર્વ અધિકાર ૪૮૯ અવળે માર્ગે જાય તેમ આત્મજ્ઞાન રહિત ક્રિયા કરનાર અજ્ઞાનીઓનો તે અંધપરંપરા માર્ગ છે. તે મુક્તિને અનુકૂળ થાય નહિ. | ભાવાર્થ એ છે કે કાંઈ નહીં તે વર્ષમાં આઠ દિવસમાં અવશ્ય આત્મથિરતા પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. આ હેતુ લક્ષમાં રાખીને જ પર્યુષણ પર્વની પ્રવૃત્તિ અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંત કાલ સુધી દિગ્વિજય સાથે ચાલશે. આઠ દિવસની આત્મસ્થિરતા માટે જ સમુદાય એકઠા થઈ, સવારમાં પ્રતિક મણુ, સામાયિક, પૂજન કરે, પઠન પાઠન કરે કરાવે, ગાય, આનંદમાં નાચે, નૂતન વસ્ત્રાભૂષણ ધારણ કરે, આત્મધ્યાન ધરે, ગાવું, નાચવું, પૂજવું, ભણવું વગેરે આ ત્મધ્યાનનાં અંગભૂત છે. કારણ કે ગાવા વગેરેથી પ્રેમ ઉત્પન્ન થાય છે, પ્રેમ ઉત્પન્ન થયેથી આત્મધ્યાન થઈ શકે છે અને આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય છે. આત્મસ્થિરતાની પ્રાપ્તિ એજ પર્યુષણ જવું. પર્યુષણ પર્વ કહેવાનું કારણુ-પર્વ એટલે ઉત્સવ કે આનંદને આ ખાસ દિવસ, આઠ દિવસે પણ ઊત્સાહપૂર્વક, આનંદપૂર્વક, સ્થિરતા પૂર્વક, ઉજવ વાના હેઈ તેમને મહાન પર્વ તરીકે ગણવામાં આવે છે. એ આઠ દિવસે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધી મુકરર કરેલા છે. • પર્યુષણ પર્વ માટે શ્રાવણ ભાદ્રપદ માસ પસંદ કરવાને હેતુ – પ્રાચીન કાળથી આત્મસ્થિરતા–પયુંષણ-માટે એટલે આત્મસ્થિરતા કરવા સારૂ તથા અગાઉ તેવા આત્મસ્થિરતાવંત થઈ ગયા તેમની યાદગિરિ સારૂ, એકઠા મળી ને પરમાનંદમાં પર્યુષણ પર્વ ઉજવવા માટે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધીના દિવસે નક્કી કરાયેલ છે. એ દિવસે નક્કી કરવામાં પણ મહાન રહસ્વ રહેલું છે. એ નિયમ છે કે આ મસ્થિરતા સંપ્ર પ્ત કરવા માટે દેશકાલ ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ. દેશ માટે ભરતક્ષે ઉતમ સાધન છે અને તેમાં પણ સિદ્ધક્ષેત્ર સમીપવતી સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ ઉત્કૃષ્ટ દેશ છે. કાલ ઉપર દષ્ટિ ક. રતાં સ્પષ્ટ સમજાય છે કે શિઆલાની તુ સારી છે પણ તેમાં અનહદ ઠંડી પડવાને લીધે મનુષ્યમન આત્મધ્યાનમાં સ્થિર નહિ થતાં, તે મનેમય ચક્રનું થડી તરફ ખેંચાણ થશે એટલે કે ઠંડી છે તે પણ આમધ્યાનની સર્વોત્કૃષ્ટ સાધનામાં કેટલીક વખત અંતરાયભૂત થવા સંભવ રહે છે. ઉનાળામાં અતિ ઉષ્ણતાને લીધે લેહી ઉ. કળવાથી સવાભાવિક રીતે ચિત્તમાં વ્યગ્રતા રહ્યા કરે અને તેથી પણ બાત મધ્યાનમાં મનની વિલયતા થઈ શકવી દુર્લભ છે. જે શીત અને ઉષ્ણકાલ ના સમભાવમાં કાલ હોય તે તે એગ્ય ગણાય. આષાઢ મહિનાથી એ માસું બેસે છે ત્યારથી જગતમાં શાંતિ થાય છે, ઠંડી અને ઉષ્ણુતાનું સમ પ્રમાણુથવાથી મન પણ શાંત થાય છે. આ ઋતુને
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy