SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કરનારે પણ વખતે, કોઈ પણ વખતે નથી કરતા તેમના કરતાં ઠીક લાભ મેળવતા જણાય છે. શરૂઆતમાં દેખાદેખીએ અનુકરણ કરતાં શીખે પછી તે સાધકને સ્વતઃ વિચારનું કુરણ થશે અને સુધરશે. જેઓ દેખાદેખીમાંથી સય રસ્તા ઉપર આવે છે તેમની તે બલીહારી છે. જગને ઘણે ભાગ તે આખી જીંદગી દેખાદેખીમાંજ પૂર્ણ કરે છે, એટલે કે કેવળ અંધ પરંપરાએ ગાડું ચલાવે છે કે ઠીક છે પર્યુષણ પર આવ્યાં છે માટે લેકની દેખાદેખીએ નિયમ પ્રમાણે પ્રતિક્રમાદિ કરવાં અને એકાદ બે ઉપવાસ કરી નાંખવા, વળી એકાદ વખત સાકરની લેણી કરવી અને બહુ તે એકાદ પૂજા ભણાવવી એટલે બસ પર્યુષણ પર્વની સમાપ્તિ થઈ, પર્યુષણ પર્વને હેતુ પૂર્ણ થયે. જો કે આવી પ્રવૃત્તિ પણ કેટલીક વખત લાભદાયક થાય છેતથા તેઓ તે રસ્તેથી પણ પરંપરાએ કેટલી ધર્મપ્રવૃત્તિના પુણ્ય પ્રતાપથીજ આગળ વધી શકશે એ વાત સાચી છે. જીદગીને ભરસો નહિ હોવાથી પરમ શાન્તિને આપનારી આત્મજ્ઞાનીઓની વાણીને તરત ગ્રહણ કરવી ૫ તેમાં પ્રમાદ કરે નહિ જોઈએ. કેટલાકની માન્યતા એવી છે કે આગળ ઉપર સમજાશે. એકડા પછી બગડે હાય, આ વાત સાચી છે પણ તેથી વિલંબ તે કરે નહિ જોઈએ. ગત્તમ જેવા મહાપુરુષને પણ શ્રી વીતરામદેવ મહાવીરને ઉપદેશ દેવાની જરૂર જણાતાં શ્રી ઉત્તરાધ્યયનમાં ફરમાવ્યું છે કે, "कुसग्गे जइ ओस बिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मण्डणाय जीवियं समयं गोयम मा पमायए" ॥ દર્ભને અગ્રે જેમ જલબિંદુ અલપકાળ રહી ખસી પડે છે, તેમ મનુષ્યનું આ ચુખ્ય અસ્થિર છે માટે હે ગૌતમ (આત્મજ્ઞાન મેળવવામાં ક્ષણ પણ પ્રમાદ કરે નહિ. મતલબ કે અપ્રમત્ત થવું, અથૉત્ આત્મધ્યાનની સુરતા તુટવા દેવી જ નહિ. ભાવાર્થ એ છે કે આત્મધ્યાન દ્વારા વગર વિલંબે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવી પરંતુ અંધ પરંપરાએ ચાલવું નહિ. જગતને ઘણે ભાગ અંધપરંપરાએ એટલે કે સ્વાશ્રયે નહિ કિંતુ પરાયે ચાલતે જોઈને ભગવાન સૂત્રકારને પણ શ્રી સૂત્રકૃતાંગ-સૂયડાંગજીમાં ઊપદેશવું પડયું છે કે – अंधो अंधपहं णितो दूर मद्धालु गच्छइ । आवज्जे उपहं जंतुं अडवा पंथाणुगामिण ॥ જેમ કેઈ અંધ બીજા અધોને દૂર લઈ જાય તે પણ તે અંધ ઉન્માર્ગે પડે અથત અન્ય માર્ગે જાય પણ વાંછિત સ્થળે ન જાય એટલે કે તે અને બીજા
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy