SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુશાસ્ત્ર-અધિકાર. . મુખે ધરે તે તે મુખવાસથી સુવાસ આપે, કંઠે ધરે તે તે હીરા મોતી તણે હાર છે, મગજમાં ધરે તે મુગટથી ચરસ ભે, ઘરમાં ધરો તે રૂડા ઘર શણગાર છે; સવિતા પ્રતાપે બને કવિતા તે કેવી કરું, અધર રહેલા જન મનને આધાર છે. ૧૮ ક્રાવ્યનો દિવ્ય ખોરાક, બાલક પીએ તે તેને જ્ઞાન બલ બહુ વધે, જુવાન પીએ તે છક ઉતરે જુવાનીને; વૃદ્ધ જે પીએ તે તેને હિંમત ને જોર વધે, ઉપજાવે અંતરમાં રસ લે આનીને; સતીઓ પીએ તે તેને સંતને મારગ સૂજે, સુધા રસ સમ નારી મોટી અને નાનીને; સુકવિતા કેઈને ન હોય અવગુણુ કારી, દેષ ન દેખાય જેમાં જારીએ નાદાનીને; ૧૯ ત્યાજ્ય કાવ્ય કારણ કવિતાનું જે નીતિ પર પ્રીતિ વધે, સરસ કે નરસ તે તે પર સંભાલીએ, જે કવિતા વાંચીને અનીતિની અસર થાય એવી કવિતાને ઉન્ડા પાણીમાં ઉકાળીએ; નીતિ ને અનીતિ મિશ્ર ભાવ જેને ભાલીયે તે, બાવળના કેયલાની સાથે તેને બાળીએ; બહેન કે બેટી પાસે બેલી ન શકાય બેલ, એવી કવિતાને તે ઉકરડે ઉછાલીએ. ૨૦ આ પવિત્ર કાવ્ય ઘટના. બાળક વાંચે તો તેની બુદ્ધિમાં બિગાડ થાય, જુવાન વાંચે તે તે જરૂર વહિ જાય છે, વૃદ્ધ જન વાંચે તે તે લાગે તેને વિષ જેવી, ઘૂ ઘૂ કહી જે કવિતા ઉપર થુંકાય છે; ભગિનીઓ સાંભળતા ભારથી ભય નહિ, લાજવાળા માણસે તે વાંચતાં લજાય છે, કોણ એવી કવિતાને કહેશે જે કવિતા છે, કવિતા તે ને સુખકારક ગણાય છે. ૨૧ કાવ્ય પરીક્ષા. સુકવિની કવિતા તે નીતિનું પોષણ કરે, પિષણકારક જેવું માનું પય પાન છે, મેટા માણસને સુણી મનમાં મીઠાશ લાગે, મિષ્ટતા ભરેલું જેવું જગમાંમિષ્ટાન છે; કુકવિની કવિતા વાંચ્યાથી કાળકેર થાય, અનીતિ ભરેલી ઝાઝા ઝેરની સમાન છે; કહે દલપતરામ કદી નહિ ધરે કાન, નરક નિવાસનો દેનારી તે નિદાન છે. ૨૨ આ પ્રમાણે શાકા અને કાવ્ય પરીક્ષા સંબંધે જણાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy