SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. અર્હદ્ ભકિત–અધિકારવળી શ્રી અહંત ભગવાનને નમસ્કાર કરનાર પ્રત્યે અનુમોદન કરનારને પણ મહાનું ફળ મળે છે. કહ્યું છે કે अरिहंतनमुक्कारो, धनाणं भवस्कयंकरं वाणम् । हिअयं अणुमोअन्तो, विसुत्तिआवारओ होश સંસારને ક્ષય કરનારા અને ધય એવા પુરૂ અરિહંતને નમસ્કાર કરે છે, તેને હૃદયથી અનુમે દના કરનાર પ્રાણી પણ સંસારના દુઃખ તથા આસકિતને નિવારણ કરનાર થાય છે. ૫ અહંત ભક્તિ ઉપર પ્રશ્નોત્તર, એક શિષ્ય પોતાના ગુરૂને પુછે છે કે હે મહારાજા ગુરૂની સેવા (ભક્તિ) કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. અને સેવા કરનારા તેના સદુપદેશશ્રવણ ને તેમજ અનેક શાસ્ત્રના અભ્યાસને લાભ પામે છે. એટલે ગુરૂ સેવાનું ફળ તે સેવકને પ્રત્યક્ષ દેખાય છે, તેથી તે તે કરવી યુક્ત છે, પરંતુ દેવે તે વીતરાગ સિદ્ધ નિરંજન છે, તે સેવા ભક્તિ કરવાથી સેવક ઉપર પ્રસન્ન થતા નથી, તેમ ન કરવાથી આ પ્રસન્ન થતા નથી, ત્યારે તેમની સેવા-ભક્તિ કરવાથી કે ન કરવાથી સેવકજનેને કાંઈ લાભ હાનિ દેખાતી નથી, માટે અરિહંત, સિહ મારા દેવ છે એમ માનવું તે જરૂરનું છે કારણ કે તેથી સમ્યફદષ્ટિપણું નિર્મળ થાય છે, પરંતુ તેમની સેવા ભકિત વિશેષે કરવાની તે જરૂર જણાતી નથી; તેઓ તેને ઈચ્છતા પણું નથી તે તે શા માટે કરવી જોઈએ? 'ઉત્તર– હે ભવ્ય ! ગુરૂ સેવાનું દષ્ટાંત આપીને તમે કહ્યું કે “દેવ વીતરાગ હોવાથી તે સેવા ભક્તિ કરવાથી પ્રસન્ન થતા નથી અને ન કરવાથી પ્રસન્ન થતા નથી તે તે બરાબર છે. પણ” “સેવા ભકિત કરવાથી કે ન કરવાથી સેવક જનેને કાંઈ લાભ હાનિ દેખાતી નથી” એ કહેવું અસત્ય છે. ભક્તિ કરવાથી લાભ છે. અને ન કરવાથી હાનિ છે, તેથી જ મેક્ષાર્થિઓને દેવ પૂજા કરવી અવશ્ય ઘટિત છે. સર્વ ધર્મનું મૂળ દેવ ભક્તિ છે. તે વિના સર્વ ધર્મ ક્રિયા નિષ્ફળ થાય છે. અને દેવ ભક્તિ સાથે કરાવી સર્વ કરણું સફળ થાય છે એટલે કરવાથી લાભ ને ન કરવાથી હાનિ છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. જેમ ચિતામણિ રત્ન અચેતન હોવાથી તેની પૂજા કરનાર ઉપર તે પ્રસન્ન થતું નથી, પરંતુ તેની પૂજા કરનાર તેની ભક્તિથી આ લેક સંબંધી ઈચ્છિત સુખને પામે છે. તેમ વીતરાગ દેવની ભકિત કરવાથી સેવક આ લેકમાં અને પરલોકમાં સર્વ પ્રકારના કલ્યાણનું ભાજન થાય છે. વળી જેમ અગ્નિને કોઈ અજતનાથી રાખે અને અનાદરથી સેવે તે તેના ઉપર તે રૂષ્ટ થતા * તવવાર્તા.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy