SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પ્રથમ પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરવી (૧) પ્રભુની આજ્ઞાનું પાલન કરવું (૨) દેવ દ્રવ્યની રક્ષા કરવી, (૩) અનેક પ્રકારના ઉત્સવો કરવા (૪) અને તીર્થ યાત્રા કરવી (૫) એ પાંચ પ્રકારે શ્રી જિનેશ્વર ભગવાનની ભકિત કરાય છે. ૧ તે ભક્તિમાં વિનય અને મર્યાદા સંભાળવાની જરૂર છે. તે માટે કહ્યું છે કે, શા. पञ्चविधाभिगमोऽसौ खङ्गच्छत्रे उपानही स्वपदोः। . मुकुटुं च चमरयुग्मं विमुच्य · वन्देत केवलिनम् ॥२॥ - ખ, છત્ર, પગની જડી, મુગટ અને બે ચમર ત્યજીને કેવળ ભગવંતને જે વંદના કરવી, તે પાંચ પ્રકારને અભિગમ કહેવાય છે. ૨ આ પ્રમાણે વિનયથી જિનહારમાં પ્રવેશ કરવો એ વ્યવહારમેહનો ત્યાગ છે. અને તે રીતે વ્યવહાર મેહ છોડવાથી ભકિતની મર્યાદા સાચવી શકાય છે. દર્શને જતાં પ્રથમ દેવ દ્રવ્યના રક્ષણ અને વ્યવસ્થા માટે વિચાર કરે જોઈએ. દેવ દ્રવ્યની રક્ષા કરનાર તથા વૃદ્ધિ કરનારને થતું ફળ. रकंतो जिणदचं, परित्तसंसारिओ जिओ होइ। वहन्तो जिणदब्ब, तित्थयरत्तं लहइ जीवो || ૨ | જે જીવ જિન દ્રવ્યની રક્ષા કરે છે તેવી પરિમિત સંસારી (અલ્પ સંસારી) થાય છે. અને જે જીવ જિન દ્રવ્યની વૃદ્ધિ કરે છે, તે જીવ તીર્થકરપણને પ્રાપ્ત થાય છે. ૩ દેવ દ્રવ્યાદિ વ્યવસ્થા તપાસવા પછી દર્શનનો લાભ લેવો. શ્રી જિન ભગવાનના નમસ્કારનું ફળ. अरिहन्तनमुक्कारों, जीवं मोरकइ भवसमुद्दाओ। भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए || ૪ | ભાવ થકી શ્રી અરિહંત ભગવાનને કરેલ નમસ્કાર આ જીવને ભવસમુદ્રથી પાર ઉતારે છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ કરાવે છે, કદાપિ કર્મ યુગે તેજ ભવમાં મોક્ષ પ્રાપ્તિ ન થાય તે બીજા જન્મમાં બધિલાભ (સમ્યકત્વ) ની પ્રાપ્તિ થાય છે. ૪ * “ થયા વાટે અમે દશમાત્રાસ્તથા તૃતીકવિ ગણાતા બ્રિગે ચતુર્ય વંશ રાય” જેના ૧ લા તથા ૩ જા ચરણમાં ૧૨-૧૨ માત્રા અને ૨ જા ચરણમાં ૧૮ અને ૪ થા ચરણમાં ૧૫ માત્રા આવે એ વૃત્તને આયો કહેવામાં આવે છે,
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy