________________
૪૭૫
પરિચ્છેદ
સુત્રાવક-અધિકાર. . ઉત્તમ શ્રાવકની ઓળખાણ. श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने धनानि क्षेत्रेषु वपत्यनारतं ।
करोति पुण्यानि सुसाधुसेवनं ततश्च तं श्रावकमाहुरुत्तमम् ॥६॥ જેઓ શ્રી જીતેન્દ્ર શાઓમાં શ્રદ્ધા ભાવ રાખે છે ક્ષેત્રમાં ( સુપાત્રોમાં ) ખુશીથી ધન વાવે છે. (દાન આપે છે) સારી રીતે શુભ માર્ગમાં પુણ્ય કરે છે અને અસાધુઓની ભકિત કરે છે તેને ઉત્તમ શ્રાવક કહે છે. ૬
શ્રાવકેનું આવશ્યક કર્તવ્ય. कर्त्तव्यं जिनवन्दनं विधिपहर्षोल्लसन्मानसैः सच्चारित्रविभूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः । श्रोतव्यं च दिनेदिने जिनवचो मिथ्यात्वनिनाशनं
दानादौ व्रतपालने च सततं कार्या रतिः श्रावकैः ॥७॥ હર્ષથી ઉલ્લસિતમને વિધિ પરાયણ શ્રાવકોએ શ્રી તીર્થકરોને વંદના કરવી, નિત્ય પ્રતિ સુચરિત્રોથી વિભૂષિત સાધુઓની સેવા કરવી, હમેશાં મિથ્યાત્વને નાશ કરનાર શ્રી જીતેન્દ્ર વાક્ય (સિદ્ધાન્ત) નું શ્રવણ કરવું અને નિરંતર દાન વગેરેમાં તથા વ્રતનું પાલન કરવામાં (ત્રત કરવામાં) પ્રીતિ કરવી. ૭
ચિત્ત શુદ્ધિના અવલંબન. देवं श्रेणिकवत्मपूजय गुरुं वन्दस्व गोविन्दवदानं शीलतपः प्रसङ्गसुभगां चान्यस्य सजावनाम् । श्रेयांसश्च सुदर्शनश्च भगवानाद्यः स चक्री यथा
धर्थे कर्मणि कामदेववदहो चेतश्चिरं स्थापय ॥॥ શ્રેણિક રાજાની પેઠે દેવ (તીર્થકર) ની પૂજા કરે. શ્રીકૃષ્ણ મહારાજની માફક ગુરૂનું વન્દન કરે. શ્રેયાંસની પેઠે દાનમાં અને સુદર્શન પેઠે શીલમાં તેમજ મહાવીર પ્રભુની જેમ તપમાં તથા ભારત રાજાની જેમ સદ્દભાવનામાં ચિરકાલ ચિત્તનું સ્થાપન કરો. અને ધર્મ કર્મમાં કામદેવ શ્રાવકની બરોબર ચિત્ત રેકો. ૮
પુણ્યશાળી શ્રાવકોનાં લક્ષણો. सर्वज्ञो हृदि वाचि तद्गुणगणः कायेन देशवतं. धर्मे तत्परता परःपरिणतो बाधो बुधश्लाध्यता ।