SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ધરવરૂપ-અધિકાર. ૪૩ી સજજને આગળ ચાલતાં ફરી કહ્યું કે-અહે કુમાર તુતે માહા કદાગ્રહી દેખાય છે, કેમકે ધર્મનાં વિપરીત ફલ દેખતે છતે પણ હજી માનતું નથી. રાસભનું પૂછ પકડયું તે મુકવું જ નહીં. એ તારો ન્યાય છે. જેમ કેઈ ગ્રામીણ માતા પિતાએ પુત્રને શીખવ્યું જે પાંચ જણામાં બેસી જે વાત અંગીકાર કરીએ તે મુકીએ નહી, એવી શિક્ષા દીધી. એકદા તે મૂર્ખ શિરેમણિએ એક સાંઢ નાશી જતું હતું તેથી તેણે પાંચની સાક્ષિથી તેનું પૂછ પકડયું પણ મૂકે નહી ત્યારે લેક કહેવા લાગ્યાં કે હે મુર્ખ ! મૂકી આપ. પણ પેલે મૂકે નહીં. તેમ તે પણ હઠ લીધે તે છોડતું નથી. હજી પણ જે મહારૂં કહ્યું ન માને તે ચાલ આગળ બીજા કોને પૂછીએ એમ વાદ કરતાં પરસ્પરે નેત્રની હેડ કરી. એટલે જે હારે તે પિતાના નેત્ર કાઢી આપે આગળ કોઈ ગામમાં જંઈ લોકોને પૂછ્યું કે ઘમ ઉત્તમ કે અધર્મ? તે વખતે તે ભૂખએ પણ અધર્મનીજ સ્થાપના કરી, તે વાણી સાંભળી - જજન હર્ષ પામ્યો. આગળ જતાં કુમારની પાસેથી હાડમાંહરેલાં નેત્ર માગ્યાં કુમારે પણ પિતાની ચક્ષુ છરી વડે કાઢી આપી. તે વખતે સજજને કહ્યું કે કેમ કુમારજી ધર્મના ફળ દીઠાં કે? આંધળા તે થયા? એમ કહી જરાવાર ત્યાં બેસી પછી કુમારને મુકી ઘેડે ચડીને સજજન અન્ય દેશે જ રહ્યા. હવે પાછળથી કુમાર વિચારવા લાગ્યું કે આપદા રૂપ નદીનું પૂર, પૂર્વકૃત કર્મ પ્રમાણે મહારે વૃદ્ધિ પામ્યું છે, પણ તેથી શું ? ધર્મના પ્રસાદથી સર્વ સારૂંજ થશે. એમ ચિંતવી જ્ઞાન બળે ધર્મ ઉપર નિશ્ચળ મન કરી ઉભે રહ્યા. એવામાં સૂર્ય અસ્ત પામ્યો. ચારે દિશાએ અંધકાર પસ, રાત્રિચર જીવે સંચાર કરવા લાગ્યા, એવા અવસરે ત્યાં વડ ઉપર ભારંડ પક્ષીઓ મળી માંહોમાંહે વાર્તા કરવા લાગ્યા કે જેણે જે કૅતક દીઠું હોય તે કહો. તે વખતે એક બે કે અહીંથી પૂર્વ દિશામાં ચંપા નગરમાં જિનશત્રુ રાજા રાજ્ય કરે છે, તેને પુછપવતી નામે પુ. ત્રી પ્રાણથી પણ વલ્લભ છે, તે મહારૂપ સૈર્યનું નિધાન વનાવસ્થા પામી પણ કત કર્મને તેને અંધ પણું પ્રાપ્ત થયું છે. એક દિવસે રાજા પિતાની પુત્રીને ખેાળામાં બેસાડી વિચારવા લાગ્યો કે એક તે દીકરી છે તે સ્વભાવે ચિંતાનું જ કારણ છે અને વળી એ તે કર્મો કલકિત છે અને વિવાહ યોગ્ય પણુ થઈ છે. હવે શો ઉપાય કરવો ? એમ વિચારી નગરમાં ઢંઢેરે ફેરવાવ્યો કે રાજાની પુત્રીની આંખે જે સારી કરે તેને રાજા અથું રાજ્ય તથા તેજ કન્યા આપે. એવી રીતે રાજપુરૂષ ત્યાં ચહટે ચહુટે ઢઢેરા ફેરવે છે. એ કૈતુક મેં દીઠું હવે આગળ શું થાશે? તે હું જાણ નથી. એવું સાંભળી વળી હાને ભાખંડ બે કે હે તાત ! તમે જાણતા હે તે કહો કે નેત્ર સારાં થવાને કેાઈ ઉપાય છે? તે સાંભળી વૃદ્ધ ભાવંડ બેલ્યો કે હું
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy