SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ. પ્રતિજ્ઞા પાળે. એવું વચન સાંભળી કુમાર ઘેડાથી નીચે ઉતરી સજજન પ્રત્યે કહેવા લાગ્યું કે હે મિત્ર! હું સર્વદા તારે સેવક છું. અસાર ધનની મને દરકાર નથી પણ કેવળ ધર્મનીજ અભિલાષા છે. એમ કહી સેવક થઈ આગળ ચાલે, અને સજજન ઘડા ઉપર ચઢયે; આગળ ચાલતાં વળી કુમાર પ્રત્યે કહેવા લાગ્યું કે હે કુમાર ! ધર્મનાં ફળ ભોગે કેવાં છે? હું તમને હજી પણ કહું છું, કે તમે તમારે કદાગ્રહ મૂકીને પાપ ચોરાહિક કમ કરે, તે સિવાય બીજો કોઈ તમારે જીવવાને ઉપાય મને ભાસ નથી. એ એમ નહિં કરશે તે કઈ પામશે. એવાં વચન સાંભળી રીશ ચઢાવીને કુમાર બેલ્યો કે અરે મૂર્ખ ! તાહારામાં ગુણ તે સર્વ દુર્જનનાજ દેખાય છે છતાં તારી ફઈએ તારું નામ સજજન પાડયું છે તે મિથ્યા છે જે મિથ્યા ઉપદેશ આપે, તે મહા પાપી જાણ તેની ઉપર એક દષ્ટાંત કહું છું તે સાંભળ. કે એક પારાધી નિરંતર જીવોનો વધ કરતે અટવીમાં વસે છે. એકદા પારાધીએ વનમાં એક હરણી જઈ તેને મારવા માટે કાન પર્યત બાણુ સાંધીને તીર છોડવાને તૈયાર થયે તે વખતે હરણી બેલી કે હે વ્યાધ ! હે બાંધવ! તું ક્ષણ એક સબૂર કર. એટલામાં હું હારે ન્હાનાં બચ્ચાંઓને ધવરાવી પાછી આવું તે વખતે પારાધીએ કહ્યું–અરે પ્રપંચી! તું આ બાજુથી છૂટી જા તે ફરી પાછી ક્યાંથી આવ? તે વખતે તેને હરણીએ કહ્યું કે જે હું ન આવું તે મહારે શીર ગોહત્યાદિકના પાપો છે તે વચન સાંભળી પારાધીએ કહ્યું કે કચ્છમાંથી ઉગરવા માટે તું એવાં વચન લે છે, તે હું માનું નહી. છતાં તું કાલાંવાલાં કરે છે તે ઉપદેશ પૂછતાં કુઉપદેશ આપે, તેનું પાપ તારે શિર લે, તે હું જાવા દઉ, હરણી તે પ્રતિજ્ઞા કરીને ગઈ અને પોતાના બાળકને ધવરાવી સંતોષીને પિતાનું વચન પાળવા માટે પાછી પારાધી પાસે આવીને કહેવા લાગી કે હે વધક ! હું" કઈ દિશાએ નાસી જાઉં તે તારા બાણથી છૂટું? તે સાંભળી વ્યાપ વિચારવા લાગ્યો કે હું એને કુશીખ આપીશ તે મને પાપ લાગશે, માટે ખરું કહેવું જોઈએ, એમ ચિંતવીને કહેવા લાગ્યું કે જો તું જમણી બાજુએ નાશી જા, તે છૂટે, એવું વચન સાંભળી હરણી જમણી બાજુ નાઠી તેથી છૂટી. માટે હે સજજન શીખ આપતાં કુશીખ આપે તો તે મહાપાપી કહેવાય, તે હવે તું મારો મિત્ર છતાં મને કશીખ કેમ આપે છે? જે કોઈ બાપડા પામર લેકેએ ધર્મ નહીં વખાણ્યું તે શું તેથી ધર્મ વ્યર્થ થઈ ગયે સમજ ? જે આંધળે પુરૂષે સૂર્ય ન દીઠે, તે શું સૂર્ય નથી ઉગે, એમ સમજવું? ખરું પુછે તે સંસારમાંહે સાર પદાર્થ સર્વ લોકને આધાર, સર્વ સુખને ભંડાર, વર્ગપવર્ગને દાતાર અચિંત્ય ચિંતામણિ સમાન, સકલ કલા પ્રધાન એ એક ધર્મ જ છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy