SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ધર્મસ્વરૂપ અધિકાર. કદાચ મેરૂ પર્વત ચલાયમાન થાય, મંદરાચલ (હિમાલય) ચલાયમાન થાય તારા, ગ્રહ, ચંદ્ર કે સૂર્ય પણ ચલાયમાન થાય, કે કદાપી પૃથ્વી પણ કેઈ કાળે ચલાયમાન થાય પરંતુ સજજન પુરૂષનું વચન કદી ફરતું નથી. આવાં વચનો સાંભળી કુમાર દુખિત થયે, અને ચિંતામાં પડી ગયો, કે મને તે વાઘ નદીના ન્યાય સમાન કષ્ટ પ્રાપ્ત થયું છે. હવે જો હું દાનેશ્વર થાઉં છું, તે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, અને જે દાન નથી આપતે, તો કીનિ જાય છે. પણ રૂડું કરતાં મને શે દોષ છે ? એવું વિચારી કુમાર પૂર્વની પેઠે દાતાર થઈ દાન દેવા લાગે તે વાત રાજાએ સાંભળી કે તરત કોપાયમાન થઈ કુમારને દેશવટે દીધે એટલે કુમાર પણ માનપૂર્વક સાહસિકપણે માત્ર એક અશ્વ સહિત હથિયારે યુકત તત્કાલ પરદેશે ચા, કેમકે તેજી તાજણે ખમે નહીં. પછી તે સમાચાર લોકોના મુખથી જાણીને સજજન પણ પાછળથી નીકળીને કુમારને જઈ મળે. માર્ગમાં બેઉ જણ ચાલ્યા જાય છે, તે વખતે સજજન પ્રત્યે કુમાર પૂછવા લાગ્યું કે હે સજજન ! કાંઈ ચમત્કારિક વાત તે કહો. ત્યારે સજજન બેલ્યો કે હે કુમાર ! તમે કહે કે પુણ્ય અને પાપ એ બે માંહે કેણુ રૂડું છે? કે જેની પ્રશંસા કરીએ. તે વખતે લલિતાંગ કુમાર હસીને કહેવા લાગ્યો કે અરે ભુંડા મૂખી! એટલું તે સર્વ જાણે છે, કે “જ્યાં ધર્મ છે ત્યાં જાય છે. અને પાપ ત્યાં ક્ષય છે. ” તે સાંભળી અધમ સજજન બે કેહે સ્વામી! જે પુણ્ય રૂડું છે, તે તમે દાન પુરુષાદિક કરતાં કરાવતાં અહીંઆ આવી અવસ્થા કેમ પામ્યા ? ત્યારે તેને કુમારે કહ્યું કે જે કષ્ટ પામીએ તે પૂર્વકૃત પાપ કર્મને ઉદય જાણુ. અને જે શાતા પામીએ તે પૂર્વકૃત પુણ્યકર્મને ઉદય જાણુ. તેથી ફરી સજજન બે , કે તમારા ધર્મનું ફલ તે મેં પ્રત્યક્ષ દીઠું. માટે હવે તમે ચારી વિગેરેથી ધન ઉપાર્જન કરી રાજ્ય પિતાને વશ કરો; તે સાંભળી લલિતાંગ કુમાર બે કે–હે દાસ! તું એવાં સપા ૫ વચન ન બેલ કારણ કે સ્વભાવે પણ પાપ વચન બેલ્યાથી જીવ દુઃખ પામે છે. માટે તારે એવા યદ્વા તદ્દા પ્રલાપ કરવા નહીં, છતાં તેનો નિર્ણય કરે હોય તે ચાલો આપણે કોઈ મહાન પુરૂષને પૂછીએ. તે સાંભળી સજજન બે કે-ભાલે ધર્મથી ય છે એમ કેઈ કહે તે હું આ જન્મ પર્યત તમારો દાસ થઈને રહીશ, અને જો એમ ન કહે તે આ જન્મ પર્યત તમે મહારા દાસ થઈને રહે. બને જાણે એ વાત કબુલ કરી, આગલ ચાલતાં એક ગામ આવ્યું ત્યાં લોકેનાં ટેળામાં જઈ પૂછવા લાગ્યા કે-ભાઈઓ, સુખશ્રેય પામીએ તે પુણ્યથી કિવા પાપથી? એ પ્રશ્ન સાંભળીને લોકે બેલ્યા કે ભાઈ? હમણું તે પાપજ સુખ હેતુ છે, અને પુણ્યથી ક્ષય થાય છે. એવું સાંભળી બેઉ જણે આગળ ચાલ્યા માર્ગમાં લલિતાંગ કુમારને સજજન હાંસિ પૂર્વક કહેવા લાગ્યો કે અહો કુમાર? હવે તમે ઘેડા ઉપરથી ઉતરી ચાકર થઈને મઠારી આગળ ચાલે ને પોતાની
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy