________________
પરિચ્છેદ ધર્મસ્વરૂપ-અધિકાર.
૪૨૩ । जगति बहुविधानां व्याकुलानां जनानां
शरणमशरणानां नित्यमेको हि धर्मः ॥ १५ ॥ સેકડે દુઃખને પામેલા, સંસારના કલેશ અને વ્યાધિથી પીડિત થયેલા, મરણના ભયથી મૃત તુલ્ય થયેલા, દુઃખ તથા શાકથી પીડાયેલા, આશ્રય વગરના એવા ઘણું વ્યાકુલ મનુષ્યને જગતમાં નિત્ય એક ધર્મજ આશ્રય છે. ૧૫
ધર્મનાં વિવિધ ફલે
શિવ. कुलं विश्वश्लाघ्यं वपुरपगदं जातिरमला सुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला । चिरायुस्तारुण्यं बलमविकलं स्थानमतुलं
यदन्यश्च श्रेयो भवति भविनां धर्मत इदम् ।। १६ ।। જગતમાં વખાણવા યોગ્ય એવું કુલ, રોગ રહિત શરીર, નિર્મલ. ક્ષત્રિય વૈશ્ય, બ્રાહ્મણાદિ જાતિની પ્રાપ્તિ, સુન્દર રૂપ, સારું ભાગ્ય, ઉત્તમ સ્ત્રી, ભેળવી શકાય તેવું ધન, દીર્ઘ આયુષ્ય, યુવા વસ્થા, (જુવાની) દઢ એવું બળ, કૈવત, નમાવી શકાય તેવી પદવી, અને બીજું જે પારલૌકિક કલ્યાણ એ બધું સંસારી ભવ્ય જીવોને ધર્મથી જ થાય છે. ૧૬ -
સુગ એ ભાગ્યબળ છે. મિંયાત્રાન્ત. (૧૭-૧૮) जैनो धर्मः प्रकटविभवः सङ्गतिः साधुलोके विद्वादोष्ठिर्वचनपटुता कौशलं सक्रियासु । साध्वी लक्ष्मीश्चरणकमलोपासनं सद्गुरूणाम्
शुद्धं शीलं सुमतिरमला प्राप्यते भाग्यवद्भिः ॥ १७॥ ઈન્દ્રિયોને જેમાં નિગ્રહ છે એ જૈન ધર્મ કે જેને વૈભવ પ્રસિદ્ધ છે તે, સાધુ સમાજને સત્સંગ, વિદ્વાનેની સાથે ગોષિ-સત્સંગસભા-વચનનું ચાતુર્ય, સુન્દર ક્રિયાઓમાં કુશલતા, શ્રેષ્ઠ એવું ધન, સદ્દગુરૂઓના ચરણકમલોનું ઉપાસન, પવિત્ર સ્વભાવ, અગર આચરણ, અને નિર્મલ એવી સુમતિ આ બધાં પદાર્થો ભાગ્યવાન પુરૂષને જ પ્રાપ્ત થાય છે. ૧૭