SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ત્યારબાદ આરાધનના સ`બ'ધે ખેલતાં સતત્વના સારરૂપ મહામત્ર નાકારના સ્વરૂપને બહુ વિસ્તારથી સમજાવવામાં આવેલ છે, તેમજ તિર્થાધિરાજ સિદ્ધાચળ મહાસ્યને ટુંકમાં દાખલ કરવામાં આવેલ છે. અવલ`બન ક્રિયા સાથે કમ નિજ રાથે મનમટને અંકુશમાં રાખવા તપશ્ચર્યા એ મુખ્ય સાધન છે. આ હેતુથી ત્યારબાદ તપશ્ચર્યાંના સ્વરૂપને સમજાવી તેના માટે ઉઝમણા (ઉદ્યાપના )આદિ થતી ક્રિયાએની આવશ્યકતા હેતુ પુરઃસર સમજાવવાને પણ ખાસ યત્ન કર્યાં છે. ભક્તિ અને ઉપાસના અથે ઉપરોકત વિષયેા ચર્ચવા પછી સ ક્રિયા ક ના અવલ’બનરૂપ દેવના સ્વરૂપને આળખાવવાને ખાસ વિસ્તારથી લખાએલ છે, જેમાં કોઈ પણ ધર્મ માટે સુદેવના લક્ષણુ શુ છે તે સમજાવવાને ખાસ પ્રયત્ન કર્યાં છે. કે જેમ કરતાં દેવ તરીકે કયા અઢાર દોષો ત્યાજય છે. અને કયા ચા ત્રીશ અતિષયે તેમની ચાગ્યતા દર્શાવે છે, તે વિસ્તારથી જણાવી તેવા સંગુણ સંપન્ન કોઇ પણુ દેવને દેવ તરીકે સ્વીકારવા ભલામણુ કરવામાં આવી છે. એટલુ' જ નહિ પણ તેવા સવ॰ ગુા વિભૂષિત અર્હત પ્રભુને ઓળખાવતાં મનુષ્ય કાટીમાંથી તિર્થંકર પદ પ્રાપ્ત કરવાના પ્રસંગે તેમના જન્મ ક્રિક્ષા અને કેવલ્પ તેમજ નિર્વાણુ મહીમાના સ્વરૂપને સમજાવવા સાથે કૈવલ્યાવસ્થાની પ્રાપ્તિ માટે મનુષ્ય કયા ધેારણે અધિકાર પ્રાપ્ત કરી શકે તે સમજાવી દેવના સ્વરૂપનું ભાન કરાવતાં પ્રથમ પરિચ્છેદ પૂર્ણ કરવામાં આવ્યેા છે. બીજા પરિચ્છેદમાં ગુરૂના સ્વરૂપને ઓળખાવવાને યત્ન થયેા છે. અને તે માટે અઢાર અધિકારા રાખેલ છે, જેમાં પ્રથમ સુસાધુના લક્ષણ અને આચરણની એળખ આપી, ધર્મભેદ વિના સાધુ તરીકેની લાયકાત ધરાવતા જીગનને નિર્મળ સ્વરૂપમાં સમજાવવાને બહુ ફ્રુટ રીતે પ્રયત્ન કર્યાં છે. અને તે સાથે સાધુ ધર્મના મુખ્ય લક્ષણા સ્થિરતા-સતાષ-નિરાબાધપણુ' ( લેભ અને મમત્વના ત્યાગ ) નિસ્પૃહતા ( માહુ અને માયાના ત્યાગ ) અને નિર્ભય અવસ્થાના સ્વરૂપને સમજાવી સાધુ જીવનનું તત્વદ્રષ્ટિ તરફ પ્રયાણુ કરાવી, તે સ્થિતિ વચ્ચે તેમને સ સમૃદ્ધિ ( દેવઅપવર્ગ સુખ ) સહજ પ્રાપ્ત થવાની શાસ્ત્રાધારે ખાત્રી કરી આપી છે. આટલી ઉચ્ચ કક્ષાએ સાધુ જીવનને મુકવા પછી તેમની ગુરૂ તરીકેની ચેાગ્ય તા સમજાવવા સાથે તેમના આત્મજ્ઞાનની મહત્તા વર્ણવી છે. અને તે સાથે ગુરૂસ્તુ. તિ કરી ગુરૂ આવશ્યક્તા પુરવાર કરતાં સાધુ તરીકેની લાયકાતના મુખ્ય ગુણ સરલતા તેમજ સત્યવક્તાપણા માટે વીસ્તારથી અનુભવ કરાવ્યા છે, આગળ વધતાં વદનિય ગુરૂવર્યાં પેાતાની પાછળ યેાગ્ય વારસે ( શિષ્ય સ*પ્રદાય ) કેવી કુશાગ્ર બુદ્ધિથી સાધી તૈયાર કરી શકે છે તે દર્શાવતાં શિષ્યને હિતખેાધના શિક્ષાસુત્ર આપી વિષયને વધારે વિકાસ આપ્યા છે, અને તેમાં સ્વામી
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy