SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ અને તે પછીના ટુંક વખતમાં આ સંશાધન તરફ લોકલાગણુએ ધારવા કરતાં પણ વધારે પ્રેમ દર્શાવેલ જોઈ તેવા સંગ્રહમાંથી એક ભાગ જનસમાજના ઉપગાર્થે પ્રકાશમાં લાવવાને આ તક હાથ ધરી છે. જનસમાજની લાગણીમાં નૈતિક ભાવ રેડી તેને ઉચ્ચકેટીએ કેળવવાનું કાર્ય જેમ લેખકોનું છે તેમ વક્તાઓને પણ તેમાં સારે હિસ્સો છે. નહિ લખી વાંચી શકનાર વર્ગને પણ માનુષિ ફરજોનું ભાન કરાવવા માટે આ વક્તા વર્ગ પ્રથમ દરજે ઉપકારક છે તેમ કહેવું ખોટું નથી. આવા વક્તાઓને માટે કેઈ વિષય ઉપર બેલતાં તે વિષયના પ્રમાણુ ભૂત સિદ્ધાંત અને દષ્ટાંતેને જેમ વિશેષ અનુભવ હોય તેમ પોતાના ચર્ચવાના વિષયને વધારે સુઘટીત રીતે પોષી સારી અસર કરી શકે છે તેથી તેમના ઉપગાથે આ સાહિત્યસંગ્રહમાં દરેક વિષય સાથે તેને ઘટતા લૈકિક દષ્ટાંતે તથા સામાન્ય પદ્યો પણ જોડવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં ધર્મનાં નૈિતિક અને આત્મશકિત દર્શક તને સંગ્રહ કરેલ હેવાથી જેમ હિંદુધર્મના ષ દર્શન (છ દર્શન) કહેવાય છે તેમ આ પ્રથમ ભાગમાં છ પરિચછેદ રાખવામાં આવ્યા છે અને તેવા દરેક પરિચ્છેદને પેટા અધિકારથી અલંકૃત કરવામાં આવેલ છે. આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રથમ દેવ ગુરૂ અને ધર્મના સ્વરૂપને ઓળખ વા જરૂર છે તેથી આ ગ્રંથમાં ખાસ કરી આ ત્રીપુટી વિષયક ઊંડાણમાં અભ્યાસ થઈ શકે તે માટે ખાસ કાળજી રાખી પછીજ આત્મસ્વરૂપને અભ્યાસ કરાવવામાં આવેલ છે. અને તેવા હેતુથી ગ્રંથની સંકલનાને કમ તેજ ધરણે રાખવામાં આવેલ છે તેમાં નીચેની ટુંકી હકીકતથી જણાઈ આવશે. અગાઉ જણાવેલ છે તેમ ગ્રંથમાં જેલા છ પરિચ્છેદ પિકી પ્રથમ પરિછેદમાં બાર અધિકાર રાખવામાં આવ્યા છે. જેમાં શરૂઆતમાં મંગળાચરણ-સ્તુતિ કરતાં શાસન નાયક અહંત પ્રભુ અને તે પછી સીદ્ધના સ્વરૂપને ઓળખાવી તેમની સ્તુતિ કરવા સાથે અષ્ટ પ્રકારે પૂજા કરવાની ઉચ્ચભાવના અને લાગણી છતાં તેના વિધિવિધાન તથા હેતુ સમજવાની ગેરહાજરીથી ફળની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે, તેવા પ્રસંગમાં પ્રદક્ષિણાદિ ક્રિયા અને પુષ્પાદિ દ્રવ્યપૂજા તેમજ ભાવનાદિ ભાવપૂજા-અર્ચા કિયા સહવર્તમાન દર્શાવી પૂજાના વિષયને બહુ ફુટ કરવામાં આવેલ છે. એટલું જ નહિ પણ ક્રિયા સેવનથી આત્મા નિર્મળ થતાં એટલે ગુણશ્રેણીએ ચઢવા પછી દ્રવ્ય પૂજનના અવલંબન પર (સાધુ અવસ્થામાં) ભાવપૂજાથી જે ભક્તિ કરવાની છે, તે સર્વ કેઈને વિશેષ આવશ્યક હાયને તે ખાસ વિસ્તારથી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તથા તે સાથે પ્રભુભક્તિ માટે પુષ્પ ઉપરાંત વસ્ત્રાભરણ, ધૂપ, દિપ, ઘંટનાદ આરતી આદિ સાધન વડે થતી ભાવના તેમજ નૃત્યાદિ ઉલ્હાસના નિત્ય કર્મ, હેતુ તથા ક્રિયા સાથે સમજાવવા યત્ન થયે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy