SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ કુબ્રાહ્મણ-અધિકાર લું હોતું નથી. છોકરાઓ નકશામાં જેમ જે પાનના જવાલામુખી પહાડ બતાવે છે, પણ એ પહાડે જેમ તેણે જોએલા નથી, તેમજ શાસ્ત્ર વાંચી ગયેલા પંડિતે જીવનું સ્વરૂપ બતાવે છે, પણ તેઓ પોતે જીવનું સત્ય સ્વરૂપ સમજેલા હતા નથી; અને જેમ છેકરાઓ એકજ આંગળી વડે કરીને એકજ સેકંડમાં હિમાલયનું ઉંચામાં ઉંચુ શિખર બતાવી દે છે, પણ એ શિખર જેમ આજ દિવસ સુધી કેઈએ જે થેલું નથી, તેમજ કથા વાંચનારાઓ પ્રભુનાં સવરૂપની વાત કરી જાય છે, પણ તેઓ કદી પણ એ સ્વરૂપને સમજેલા હતા નથી, કારણકે કહી જવું એ કાંઈક જુદી જ વસ્તુ છે, અને સમજવું એ કાંઈક જુદી જ વસ્તુ છે. વાતે કરવામાં ને અનુભવ લેવામાં તે જમીન આસમાનને ફેર છે, એવા અનુભવ તે ભાગ્યશાળી ભોજ લઈ શકે છે, અને પ્રભુના નામની લેહ લાગ્યા વિનાના પંડિત તે નાનાં બાળકોની પેઠે નકશે જોવામાં જ રહી જાય છે, આ ઉપરથી એમ સમજવાનું નથી કે શાસ્ત્ર જાણવાં નકામાં છે, પણ કહેવાને હેતુ એ જ છે કે, માત્ર પેટ ભરવા સારૂ, વારે કરવા સારૂ, હેટાઈ મેળવવા સારૂ, કે વિવાદ કરવા સારૂ, શાસ્ત્ર વાંચી જવાથીજ કાંઈ વળવાનું નથી, પણ વાંચેલું. હદયમાં ધારણ કરવું જોઈએ, અને તે જીદગીમાં પ્રત્યક્ષ રીતે અનુભવવું જોઈએ, તે જ તે કામનું છે. પણ તે ભક્તિથી (પ્રભુપ્રેમથી) થઈ શકે છે, માટે જેમ બને તેમ પ્રભુ ઉપરને પ્રેમ વધે તેમ કરે. પ્રભુપ્રેમને માટેજ શાસ્ત્ર છે, તે સારૂ જ આ પણી જીંદગી છે, તે સારૂજ આ દુનિયાં છે અને તેમાંજ-પ્રભુપ્રેમમાંજ મેક્ષ છે. માટે ભાઈઓ ! નકશામાં વિલાયત જેવાના જેવાજ નહીં રહી જતાં ધર્મનાં રહસ્ય કાંઈક અનુભવમાં આવે અને પ્રભુ ઉપરને પ્રેમ વધે તેમ કરે. +++ આ પ્રમાણે કહી આ દિયાહીન જ્ઞાન નિષ્ફળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. कुब्राह्मण अधिकार, નજs આ અધિકારનો આરંભ કરતાં પહેલાં કેટલુંક તે સંબંધી જણાવવાની અને રહે છે. તેમાં પ્રથમ જણાવવાનું કે બ્રાહ્મણ ધર્મના ગ્રન્થમાં બ્રાહ્મણે ઉચ્ચ સ્થાને મૂકવામાં આવ્યા છે, અને તદનુયાયી વર્ગ ઘણું ભાવથી તે બ્રાહ્મણોને સ. ત્કાર કરતે આવેલ છે, અને અદ્યાપિ કરે છે. મતલબ કે બ્રાહ્મણ્ જાતિના પૂજ્યપશાનું કારણ પણ તે તે શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે આપવામાં આવ્યું છે તે એ છે કે તે બ્રાહ્મણેએ અન્ય ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદિક કરતાં ઘણુંજ કઠણ નિયમ પાળન કરવાના છે. તે સંબંધમાં શ્રી કષભદેવ ભગવાને કીધું છે કે -
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy