SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ મજે બધું, પણ કરે કાંઈ નહીં, તે જ્ઞાની પાપી કહેવાય છે. એવા માણસે વાતે બહુ મેટી મટી કરે છે, ઉપદેશ પણ બહુ આપે છે, ઉપર ઉપરથી દેખાવ પણ સારે સારો કરે છે, પણ અંતરમાં ઢમઢેલ ને માંહી પલજ ડાય છે. બીજાઓ તો અંધારાને લીધે કુવામાં પડે છે, પણ જ્ઞાની–પાપી તે પિતા હાથમાં મસાલ લઈને કુવામાં પડે છે. બીજાએ તે અજ્ઞાનથી, ખરાબ સંજોગધી, કે અકસ્માતથી ભૂલ્ય ચુયે મરે છે, પણુ જ્ઞાની–પાપી તે જાણી બુજીને આપઘાત કરે છે. બીજા પાપી. એમાં ને જ્ઞાની-પાપીમાં જે ભેદ છે, તે જ કે જ્ઞાની-પાપીએ તે આંધળા જેવા છે ને તેનું જ્ઞાન તે તેઓના હાથમાં મસાલા જેવું છે, પણ આંધળાને પિતાના હા. થમાંની મસાલ પણ જેમ કામ આવતી નથી, તેમ જ્ઞાની-પાપીને પિતાનું જ્ઞાન પણ કામ આવતું નથી, કારણ કે જે જ્ઞાન વડે પાપથી બચવું જોઈએ, તેજ જ્ઞાનથી તેઓ વધારે પાપ કરે છે. સમજ્યા છતાં, જ્ઞાન છતાં માણસો કેમ પાપ કરે છે, એ એક મોટો સવાલ છે; પણ તેને માટે મહાત્માઓએ કહેલું કે, જ્ઞાન છે તે બને બાજુથી ધારવાળી તરવ રવાળું છે, તેથી આપણું બંધન પણ કપાય છે, અને તેથી આપણું માથું પણ કપાય છે. જ્ઞાનની તરવારને કેમ ઉપયોગ કરે છે તેના વાપર. નારના હાથમાં છે. ભક્ત કે જ્ઞાનની તરવારથી પોતાના કર્મના બંધનને કાપી નાંખે છે. અને જ્ઞાન–પાપીઓ જ્ઞાનની તરવારથી પિતાનાજ હૃદયમાં જખમ પાડે છે. જ્ઞાની–ભકતોમાં ને જ્ઞાની–પાપીઓમાં એજ ભેદ છે કે, જ્ઞાની-ભક્ત તરતે જાય છે, ને જ્ઞાની–પાપી ડુબતે જાય છે. માટે ભાઈઓ ! મુરખ રહી જવાય તો ફિકર નહીં, પણ જ્ઞાની–પાપી ન થવાય એ સંભાળજો, નકશામાં વિલાયત જોયાથી કાંઈ વિલાયતને અનુભવ થાય નહીં, તેમજ માત્ર શાસ્ત્ર વાંચી ગયાથી ધર્મના નિયમ પાળ્યા સિવાય કોઇ ઉદ્ધાર થાય નહીં. છોકરાઓ નકશામાં જેમ ઝટ લઈને ઈરાનની હદ બતાવી દેય છે, પણ ખરા ઈરાનની હદ જેમ એ છેકરાએ જોયેલી નથી, તેમ પોથીમાંથી શાસ્ત્રીઓ અંદગીને , હેતુ કહી જાય છે, પણ તેઓ પોતે જીંદગીનો ખરે હેતુ સમજેલા હોતા નથી. જેમ છોકરાઓ પોતાની ખુશીઆરી બતાવવા માટે ઝટ આંગળી મૂકીને સહરાનું મેટું ઉજડ રણ બતાવી દે છે, તેમ પિરાણિક બાવાઓ જગતની ઉત્પત્તિ અને નાશની મેટી વાતે કર્યા કરે છે, પણ તેઓ પિતે જગતની ઉત્પત્તિ અને લયને ભેદ સમજે. લા હોતા નથી. છે.કરાઓ નકશામાં ઝટ લઈને ચીનની દીવાલ બતાવી દે છે, પણ ખરી દીવાલ તેઓએ કદી પણ જોઈ નથી; તેમજ ભટજી મહારાજે આપણને માયાનું મિથ્યાપણું સમજાવે છે, પણ તેઓએ જરા પણ માયાનું મિશ્રાપણું અનુભવે
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy