SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ, કુવકતા-અધિકાર. હિય તે જાણવું કે તે માણસ પેટ ભરાજ છે અને કાળની સપાટીમાં લાગનારા પવન અનુસારે તણાઈ જવાના છે. અષ્ટકજીના ટીકાકાર કહે છે કે – अवसेसिया मइ सम्मदिठिस्त सा मश्नाणं । मइअन्नाणं मिच्छादिठिस्स सुयंपि एमेव ॥ સમ્યદૃષ્ટિની બુદ્ધિ તે “મતિજ્ઞાન” છે અને મિથ્યાષ્ટિની બુદ્ધિ તે “મતિઅજ્ઞાન” છે. મતિમાં કાંઈ ફેરફાર નથી. શ્રુતજ્ઞાનના સંબંધમાં પણ તેજ પ્રકારે સમજવું.” મહાતર્ક કરનાર હોય તે પણ જ્યાં સુધી જ્ઞાનની અસર આત્મિક શુભ પ્રવૃત્તિમાં થતી નથી, ત્યાં સુધી તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અજ્ઞાન કહે છે, અને અજ્ઞાન તે કષાયાદિ મહારિપુએથી પણ વધારે ખરાબ છે. આથી અમુક વ્યકિત વિદ્વાન હોય છે તેથી કાંઈ બહુ ખુશી થઈ જવા જેવું નથી. વાસ્તવિક તુલના તે પ્રવૃત્તિ ઉપરજ રહે છે. અને જેઓ અમુક કાર્ય તે આત્મિક ઉન્નતિ અવનતિને અંગે શે સંબંધ છે તે વિચારતા નથી અથવા વિચાર કરવાની દરકાર કરતા નથી તેઓ વસ્તુતઃ અજ્ઞાની જ છે, સંસાર રસિકજ છે, સંસારમાં રખડનારાજ છે અને તેથી તેઓને પેટભરા કહેવા યુકત જ છે. જેઓ પિતાના પેટ પૂરતો વિચાર કરી બેસી રહે છે તેઓ પેટભરા કહેવાય છે, અત્ર સંસારના વધારનારને તે નામ આપવું બહુ સાર્થ છે, વિચાર કરીને સમજવા યોગ્ય છે અને સમજાઈ જાય તેવું છે. અમે કહીએ છીએ એમ મુનિસુંદર મહારાજ ભાર મૂકીને કહે છે. ગ્રંથકારને બહુ વચનથી લખવાને હક છે. એમાં માન જેવું કશું નથી. વસ્તુ સ્થિતિ લેકના મન પર ઠસાવવા માટે ભાર મૂકીને કહેવાની આ પદ્ધતિ બહુ અસરકારક છે. ટીકાકારના કહેવા પ્રમાણે તે સમાન ધર્મવાળાઓની એક વાકયતા એટલે સરખા વિચાર ધરાવનારાઓને સર્વાનુમતે થયેલે નિર્ણય બતાવે છે. ૧૩ धन्याः केप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा, दुःसाध्येषु परोपदेशलवतः श्रद्धानशुद्धाशयाः । केचित्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसा; अत्रामुत्र हितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः॥१४॥ કેટલાક પ્રાણીએ એ શાસ્ત્રનો અભ્યાસ કર્યો ન હોય તે પણ બીજાના જરા ઉપદેશથી મુશ્કેલીથી સાધી શકાય તેવાં શુભ અનુષ્ઠાન તરફ આદરવાળાં થઈ જાય છે, અને શ્રદ્ધા પૂર્વક શુદ્ધ આશયવાળા થઈ જાય છે તેઓને ધન્ય છે? કેટલાક તે આગમન અભ્યાસી હોય અને તેનાં પુસ્તક પાસે રાખતા હોય છતાં પણ આ ભવ પરભવના હિતકારી કાર્યોમાં પ્રમાદી થઈ જાય છે અને પરલોકને હણી નાંખે છે. તેઓનું શું થશે ?” ૧૪
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy