SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ પડે છે, તેમ વીતરાગદશા, શુદ્ધ માર્ગ કથન, અપેક્ષાઓનું શુદ્ધ સ્થાપન, નય સ્વરૂપને વિચાર અને સ્વાદ્વાદ વિચારશ્રેણી એ આપતાની પરીક્ષા માટે પૂરતાં છે. વિશેષ ક્ષપશમ હોય અને અનુકૂળતા હોય તેણે વિશેષ પ્રકારે પરીક્ષા કરવાને અત્ર નિષેધ નથી, પરંતુ ગમે તેમ કરી આતનાં વચન પ્રમાણે અનુષ્ઠાન કરવાની આવશ્યકતા અત્ર સ્વીકારી છે. - અત્ર જે માર્ગનું દર્શન કરાવવામાં આવ્યું છે, તેમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરવાને નિષેધ નથી, પણ દુવિકલ્પને ત્યાગ કરવાને ઉપદેશ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૧૨ માનપદના અભિલાષાની સ્થિતિ, રાજકૂંવહત. (૧૩-૧૪) मोदन्ते बहुतर्कतर्कणचणाः केचिज्जयावादिनाम्, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिम्भरीनेव तान् ॥ १३ । ઘણા ન્યાયશાસ્ત્રના તર્કમાં નિપુણ એવા કેટલાક નૈયાયિક પુરૂ, વાદી પુ. રૂષોને જીતી જવાથી આનન્દ પામે છે. અને કેટલાક કવિ મનુષ્યો અર્થની ઘટનાથી રચેલ એવાં કાવ્યોથી “કવિ” એવી ખ્યાતિ પામીને સંતુષ્ટ થાય છે, અને બીજા વિદ્વાન જ્યોતિષ, નાટક, નીતિ, સામુદ્રિક શાસ્ત્રો ધનુર્વેદ આદિ શા. શાથી સંતોષ માની રહ્યા છે. પરંતુ આવતા ભવમાં હિતકારી કાર્ય તરફ જે તેઓ અજ્ઞ (બેદરકારી હોય તો અમે તે તેઓને ઉદરભરિ (પેટભરા ) જ કહીએ છીએ. ૧૩ ભાવાર્થ કેટલાક ન્યાયની કેટીમાં ઉંડા ઉતરી આનંદ માને છે, જ્યારે કેટલાક કવિ થાય છે, કેટલાક જોશી, નાટકકાર, રાજદ્વારી નીતિમાં કુશળ, સામુદ્રિક જ્ઞાનમાં કુશળ, શસ્ત્રવિદ્યામાં કુશળ અને કેટલાક પૃથકકરણશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ખગોળવેત્તા, ભૂતળવેત્તા, વનસ્પતિવિદ્યા કશળ, ગણિતશાસ્ત્રમાં પ્રવિણ, વૈયાકરણ વિગેરે વિગેરે થાય છે; ઉદ્યોગ, ગુરૂકૃપા અને પશમ પ્રમાણે વિદ્વત્તા મેળવે છે, પણ જે તેમને ભવની બીક નથી તે આવતા ભવમાં હિતકારી ધર્માનુષ્ઠાન કરી શકતા નથી અને ધર્માનુષ્ઠાન કર્યા સિવાય આવતા ભવ માટે મેક્ષ તયાર નથી અને તે ધમી હોવા કરતાં ધમી હોવાનો દેખાવ માત્ર કરે છે. આ પ્રમાણે જ આદિ શબ્દ વાપરવાથી બ્રહ્મયામલ, રૂદ્રયામલ, વાસ્તુશાસ્ત્ર, કાત્યાયન વાસ્યાયન અને શકુન શાસ્ત્રનો સમાવેશ થાય છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy