SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સાધુ આત્મનિંદા-અધિકાર. અંતઃકરણમાં મત્સર (ટ્રેષ) ને ધારણ કરનાર, બહાથી શમતાને ધારણ કરનાર, ગુપ્ત રીતે પાપ કરનાર, નદીના જળથી (આત્માની) શુદ્ધિ કરનાર, મદિરા પાનવાળા વણિફની જેમ દુષ્ટ વાસના અને આશાને ધારણ કરનાર, પાખંડ વ્રતને અંગીકાર કરનાર, બગલાની જેવી દષ્ટિવાળા (બગથાની ), આવા મિથ્યાષ્ટિએના અગ્રભાગને વિષે તેવાજ આચરણેથી હું બંધાયેલો છું. તે અહે ! મારી શી ગતિ થશે? અથૉત આવા ચારિત્રેથી મારી દુર્ગતિ થશે. ૩. જ્ઞાનીની સ્તુતિપૂર્વક અજ્ઞાનીની નિંદા. ब्रह्मज्ञानविवेकनिर्मलधियः कुर्वन्त्यहो दुष्कर, यन्मुञ्चन्त्युपभोगभाज्यपि धनान्येकान्ततो निःस्पृहाः । सम्प्राप्तान पुरा न सम्पति न च प्राप्तौ दृढप्रत्यया, वाञ्छामात्रपरिग्रहानपि परं त्यक्तुं न शक्ता क्यम् ॥४॥ અહો ! બ્રહ્મજ્ઞાનના વિવેકે કરીને નિર્મળ બુદ્ધિવાળા પુરૂષે દુષ્કર કાર્યને કરે છે. કારણ કે તેઓ એકાંતપણે નિઃસ્પૃહ ( ઈચ્છા રહિત) થઈને ઉપગમાં ઉ. પગી ધનને પણ ત્યાગ કરે છે. પરંતુ અમને તે પહેલાં (પૂર્વ જન્મમાં ) પણ પ્રાપ્ત થયેલા નથી, અત્યારે ( આ ભવમાં) પણ પ્રાપ્ત થતા નથી, અને (હવે પછી એટલે આવતા ભવમાં) પ્રાપ્ત થશે કે નહીં તે વિષયમાં અમે દઢ વિશ્વાસવાળા નથી. તે પણ તે પરિગ્રહની માત્ર વાંછાને પણ અમે ત્યાગ કરવા સમર્થ થતા નથી, એ અતિ ખેદની વાત છે. ૪ ચારિત્ર પર અરૂચિ થવાનાં કારણે પૂર્વક આત્મનિદા. ધરા. किं भावी नारकोऽहं किमुत बहुभवी दूरभव्यो नभव्यः, किं वाऽहं कृष्णपक्षी किमचरमगुणस्थानकं कमेदोषात् । वह्निज्वालेव शिक्षा व्रतमपि विषवत्खड्गधारा तपस्या, स्वाध्यायः कर्णमूची यम इव विषमः संयमो यद्विभाति ॥५॥ શું હું કર્મના દોષને લીધે નારકી થવાનો હઈશ? કે બહુભવ (ઘણુ સંસાર વાળો) હઈશ ? કે દર ભવી હઈશ? કે અભવ્ય હઈશ? કે કૃષ્ણપખીયે હઈશ ? કે પહેલા ગુણસ્થાનક ( મિથ્યાત્વ ગુણસ્થાન) વાળે હઈશ? કે જેથી કરીને મને ધર્મ. . શિક્ષા (ઉપદેશ) અગ્નિજ્વાળા જેવી ભાસે છે, વ્રત પણ વિષ જેવું ભાસે છે, ત
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy