SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ , ૨૮૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પસ્યા બની ધારા જેવી ભાસે છે, સ્વાધ્યાય (સઝાયધ્યાન) કાનમાં સેય જે ભાસે છે, અને સંયમ ( ચારિત્ર) યમરાજની જેવો વિષમ ભાસે છે. ૫ આમ પશ્ચાત્તાપ દર્શાવતાં સાધુઆત્મનિંદા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. गुरु गृहस्थ भेद-आधिकार. સાધુ પુરૂષને ત્યાગગુણ એટલે તે મહાન છે કે તેથી તેમનામાં રહેલા તેજ અલોકિક પ્રભાવશાળી જોવાય છે. કેટલાકનું માનવું છે કે સંસારમાં ગૃહસ્થ તરીકે રહીને પણ લેભ, માન, માયા વિગેરે દુર્ગુણોને ત્યાગ કરવાથી પવિત્ર અને પ્રભાવશાળી જીવન પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ તે બાબતમાં કેટલેક અંશે ભૂલ છે. અલબત એટલું ખરું છે કે સગુણના સેવનથી ગૃહસ્થજીવન પ્રસંશનીય લેખાશે પરંતુ ગૃહસ્થજીવનમાં રહ્યા થકા જૂદા જૂદા પ્રસંગમાં વ્યવહાર દષ્ટિએ આવરણ આવી પડવાથી તેવા નિર્મોહજીવનમાં કવચિત્ અંતરાય આવી પડવાના દરેક સંભવ રહે છે. અને તેથી ગૃહસ્થને ગુરૂપદની ઉપમા વાસ્તવીક રીતે ઘટી શકતી નથી, મતલબ કે ગુરૂપદને એગ્ય થવા માટે પ્રથમ ત્યાગની જરૂર છે. તેથી ગૃહસ્થ ગુરૂ કહી શકાય નહિ તેની ખાત્રી માટે આ અધિકાર લખવામાં આવે છે. પ્રશ્નઆપે પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિના પ્રસંગમાં કહ્યું છે કે–તે જીવ શુદ્ધ તત્વના ઉપદેશક નિરારંભી ગુરૂ વિના અને રા ગૃહસ્થાદિકને વિષે ગુરૂભાવ લાવે નહીં, તે ગૃહસ્થ, ગુરૂભાવને યોગ્ય ન હોય તેથી તેમ કહ્યું છે કે બીજા કારણથી કહ્યું છે? ઉત્તર–મુખ્યપણે તે ગૃહસ્થ ગુરૂભાવને ચગ્ય જ નથી. ગુરૂ શબદન અર્થ શાસ્ત્રમાં એમ કર્યો છે કે-ધર્મ વસ્તુતત્વના જાણ, ધર્મન જ કરનાર, ધર્મમાં સદા રહેનાર અને ધર્મના જ ઉપદેશક જે હોય તેને ગુરૂ કહીએ. એ કહેલાં ગુરૂના લક્ષણ ગૃહસ્થમાં હોય નહીં તેથી તેનામાં ગુરૂભાવની ગ્યતા નથી એમ અમે કહ્યું છે. પ્રશ્ન-રજોહરણાદિ મુનિનાં ચિન્હ ધારણ ન કરવાથી ગૃહસ્થમાં ગુરૂપણું નથી કે કોઈ જ્ઞાનાદિકના અભાવના કારથી નથી ? ઉત્તર–હે ભદ્ર! વેષ અભાવ તે સર્વ મનુષ્ય દેખી શકે છે તેમાં વિશેષ નથી, પણ ધર્મ-વરતુતત્વના જાણ એ પ્રથમ કહેલું ગુરૂનું લક્ષણ તેનામાં હતું નથી તેથી તેનામાં ગુરૂપણું નથી. ॐतत्त्ववार्ता.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy