SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ યતિશિક્ષપદેશ અધિકાર, આ પ્રસંગે પરિગ્રહ શુ છે અને પરિગ્રહ કોને કહેવાય તે સમજવું ઉપગી થઈ પડશે. ઉપકરણે તજી દેવાનું કે પુસ્તકને ત્યાગ કરવાને અત્ર ઉદ્દેશ નથી. પરિગ્રહ એટલે મૂછી. મુરઝા રૂરિયાદો યુરો. એક વસ્તુ ઉપર મારા પણાની બુદ્ધિ થાય-મમત્વ થાય એનો ત્યાગ કરતાં ખેદ થાય, એ પરિગ્રહ છે. એવા પ્રકારની મૂછ કોઈ પણ ઉપર રાખવી નહિ. ધર્મનાં ઉપકરણને નામે પણ સાંસારિક રાગ સાધુમાં કઈલાર થઈ જાય છે એ મનુષ્ય સ્વભાવની નબળાઈ કહે કે પં. ચમ કાળને પ્રભાવ કહે કે વિભાવ દશાને સ્વભાવદશામાં પલટન પામેલી સ્થિતિને આવિર્ભાવ કહે, ગમે તે કહે, પરંતુ એટલે સ્થૂળ પરિગ્રહ પણ ત્યાજ્ય છે. જે વસ્તુઓ ધાર્મિક ક્રિયામાં સાધનરૂપ છે તે તેટલે અંશે રાખવા એગ્ય છે, પણ તેના ઉપર મારાપણુાની બુદ્ધિ અથવા તે એને વારસો મુકરર કરવાની પોતાની સત્તા કે એને લગતી કોઈ પણ જાતની ખટપટ તાજ્ય છે. આ બાબત માં જે કાંઈ પણ અપવાદ હોય તે તે ગુણનિષ્પન્ન ગીતાર્થ અધિપતિ માટે છે, જેના સંબંધમાં અત્ર ઉલ્લેખ નથી આ છ કલાકમાં આ વિષય બહુ દષ્ટાંત આપીને ચર્યો છે. અધિપતિ વ્યતિરિક્ત વ્યક્તિએ શાસ્ત્રમાં ગણવેલાં ઉપકરણથી અધિક રાખવાં એ પણ પરિગ્રહ છે એ ઉપલક્ષણથી સમજી લેવું. હે મુનિ ! તુ કઈ પણ વસ્તુને ધાર્મિક ઉપકરણનું નામ આપી તેના પર ભછ કરીશ તો તે તને ભવાંતરમાં દુઃખ આપશેજ: નામ કેરવવાથી કાંઈ પરિણામ ફરી જતું નથી. પરિણામ તે અભિપ્રાય ફેરવવાથી ફરે છે. કેરી કિં પાકને “ફળ” કહી નામાંતર કરવામાં આવે છે તેથી તેનું દારણુ ફળ મળ્યા વગર રહેતું નથી, અથવા મીઠાઈનું નામ આપવાથી ઝેર પિતાનું ફળ આપ્યા વગર રહેતું નથી, એવી જ રીતે પરિગ્રહને બીજું કંઈ પણ કલિપત નામ આપવાથી કામ થતું નથી. તારી મરજી હોય તે તેને ધ પકરણ કહે કે ગમે તે કહે પણ જે તેના ઉપર તારી મૂછી હશે તે તે તેને પોતાને દુર્ગુણ બતાવ્યા વગર રહેશે નહીં. ૬ પરિષહ સહન-સંવર. शीतातपाद्यान्न मनागपीह, परीषहांश्चत्क्षमसे विसोढुम् । । कथं ततो नारकगर्भवासदुःखानि सोढासि भवान्तरे त्वम् ॥ ७ ॥ આ ભવમાં જરાપણુ ઠંડી, તાપ વિગેરે પરીષહ સહન કરવાને શકિતવાન થતું નથી તે પછી ભવાંતરમાં નારકીનાં તેમજ ગર્ભવાસનાં દુઃખે કેવી રીતે સહન કરી શકીશ? - ભાવાર્થ-હવે જૂદા જુદા વિષયે ઉપર પ્રકીર્ણ શ્લોકોમાં ઉપદેશ આપે - છે. એનું સાધ્ય મુનિજીવન છે અને બહુધા એક વિષય બીજા વિષય
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy