SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ચતુર્થ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ભાવાર્થ-તું નશીબને મળે છે, પરભવે દાનાદિ ક્યું નથી છતાં આ ભવમાં પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખે છે અને નથી મળતી ત્યારે ખેદ પામે છે, . પણ તેમાં તારી ભૂલ છે, કઈ પણ બાબતની ઈચ્છા રાખ્યા પહેલાં તેને માટે લાયક થવાની ઘણી જરૂર છે. જે સ્તુતિ મેળવવાની તારી ઈચ્છા હોય તે ગુણવાન થા, અભ્યાસ કર, તારી ફરજ બજાવ, સ્તુતિ એવી વસ્તુ છે કે જે તેને ઈરછે છે તેનાથી તે દૂર જાય છે, પણ જે તેને લાત મારી તેનાં કારણે મેળવે છે તેને તે વળગતી આવે છે મતલબ, સ્તુતિને ઈચ્છવાની જરૂર નથી, પણ ગુણ પ્રગટ કરવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. અને ખાસ કરીને તું કેણુ છે? એક રીતે જઈશ તે તું તદ્દન વહેવારૂ જીવ છે, અનંત જીવ સમુદાયમાં માત્ર એક સમુદાયમાંને તું એક છે, ત્યારે સ્તુતિ શી? કેટલો વખત ચાલશે ? કેણુ યદ રાખશે? વળી બીજી રીતે જઈશ તે તું સાધુ છે, વર પરમામાનો યેષ્ઠ પુત્ર છે. તેનું શાસન તારા પર વર્તે છે, વીર પરમાત્મા કદિ સ્તુતિની ઈચ્છા કરતા હતા ? ઇંદ્રના મત્સવથી કે દશાર્ણભદ્રના સામૈયાથી તેઓના મનપર જરા પણ અસર થઈ હતી ? તારા વડીલ-તારા ઉપકારીને પગલે ચાલ, લાયક થા અને આ સારે પ્રસંગ મળ્યો છે તેને સદુપગ કરી લે. છતાં પણ જે તે સ્તુતિની ઇચ્છા કરીશ તે તેથી તેને શું લાભ છે? ગુણ વગર કોઈ તારી સ્તુતિ કરશે ? નહિ કરે, એટલે તને ખેદ થશે. વળી સ્તુતિ મેળ વવા માટે તારે ફેકટ પ્રયાસ કરે પડશે તે લાભમાં રહેશે. બાકી તે અત્ર સંતાપ અને પત્ર દુર્ગતિ છે માટે પહેલાં લાયક થા અને પછી ઈચ્છાકર. ૫ પરિગ્રહ ત્યાગ, परिग्रहं चेद्वयंजहा गृहादेस्तत्कि नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादेगरोजी नामान्तरतोऽपि हन्ता ॥ ६ ॥ ઘર વિગેરે પરિગ્રહને તે તજી દીધા છે તે પછી ધર્મના ઉપકરણને હાને શયા, ઉપધિ, પુસ્તક વિગેરેને પરિગ્રહ શા માટે કરે છે? ઝેરને નામાંતર કર્યાથી પણ તે મારે છે. | ભાવાર્થ –ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ વિગેરે સર્વ સાંસારિક પરિગ્રહને હે મુને! તેં ત્યાગ કર્યો છે તે મહા કષ્ટ વેઠી આ પૈસા અને ઘર મહેલ વિગેરે ૫ રને મેહ ઉતર્યો છે, આવી રીતે તું સંસાર સમુદ્ર તરી જવાની અણી ઉપર આ વી ગમે છે, ત્યારે હવે તારી પાસે શયાની પાટ, પુસ્તક કે બીજા ઉપકરણે છે તેને પરિગ્રહ શા માટે કરે છે? તે વસ્તુની મૂછરૂપ પરિગ્રહ પણ તજી દે. - ૧ વાત વા પાર;
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy