SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ મહાત્માઓના પગ પાસે પિતાના રાજ્યની સર્વ વિભૂતિ-ઐશ્વર્ય અર્પણ કરતા હતા તેમના સામે હાથ જોડી ઉભા રહેતા હતા, અને આ મહાત્માઓ પણું તત્વભાવનાએમાં, તત્વચિંતનમાં,સ્વકતવ્યમાં એટલા મસ્ત રહેતા હતા કે એ સર્વ થી લેશ પણ ડગતા નહિ કે ઘમંડ કરતા નહિ, પરંતુ ક્યાં છે એ મનહર ચિત્ર,કયાં છે એ ઉત્તમ વાતાવરણથીયુક્ત સ્થાનકે ક્યાં છે એ જ્ઞાની ચારિત્ર્યશીલ સાધુ મહાત્માઓ, કયાં છે એ ધર્મ પર રૂચિ રાખનારા શ્રદ્ધાળુ શ્રોતા વર્ગ, ક્યાં છે એ વખતનાં શ્રેષ્ઠ લાધ્ય પરિણામે ? શી કાળની વિચિત્રતા, ગ્રહના અવળા ગશી અગમ્ય કારણેની પરંપરા! આજ એમાનું કશું નથી. કશું નથી એટલે કેવળ શૂન્ય છે એમ નથી, અમારા આ ઉદ્દ ગાર સમગ્ર રીતે છે નહિ, હાય શકે પણ નહિ, ગમે તેમ તેઓ માનવદુષ્ટિ પરિચ્છિજ છે, અમુક મર્યાદાથી બહાર તેની ગતિ નથી, એટલે આ દષ્ટિની પરિચ્છિન્નતા તથા જ્ઞાનની અલપતાના અંશ, એ ઉદગાર કહાડવાનાં કારણેમાં ભળી જાય. આવી સ્થિ તિમાં ઉચ્ચારાયેલા આ ઉદ્ગાર માટે કષાય ત્યાગી સાધુ મહાત્માઓ તથા શ્રાવક વર્ગ ક્ષમાદષ્ટ રાખશે એવી આશા છે. વસ્ત્ર પાત્રાદિ ઉપકરણોની તાલ મેલ, શિષ્ય ક્ષેત્ર અને પુસ્તકેષણ, આહાર પાણીની તજવીજ અને ગોચરીના જ નિયમનું પઠન પાઠન જ્ઞાન, તથા ગામ ગપાટામાં સાધુ જીવન વ્યતીત થાય છે તેથી વધારે શેકની વાત કઈ છે વાર? કેટલેક સ્થળે તે સમજ્યા વગરના સૂત્ર સિદ્ધાન્તાના અશુદ્ધ મુખપાઠ સિવાય અન્ય શાસ્ત્રનાં વાંચનને, કાવ્ય વ્યાકરણ સાહિત્ય ફિલેસેડી આદિને અભ્યાસને, વિદ્વટ્ઝર્ચા ન, અન્ય ધર્મના વિચારેના સંસર્ગને વગેરેને નિષેધ હોઈ જ્ઞાન અને સુધારાનાં દ્વાર બંધ થયાં છે. ધર્મને નામે સંકુચિત દષ્ટિ, વહેમ, જડતા ઉપદેશાય છે. અને કંઈ પણ સ&િયા થાય તે ધર્મનો ભંગ થાય, સમક્તિ નાશ થાય. કર્મબંધ થાય એવી માન્યતાથી કેવળ અહત્વ પૂર્વક આત્મપરાયણ રહેવામાં ધર્મ અને મુનિવ સમાયેલાં રહમજાય છે. મુનિત્વ શામાં છે અને શાસ્ત્ર તેમ વ્યવહારની દષ્ટિએ વિચાર કરતાં એમ તો નહિ જ જણાય કે, નિયમ બદ્ધ ખાનપાનના પાલનમાં, ડાળ ડમાકવાળાં ટોપ ટીપીઓ ભાષણમાં, નાટકીયાં ગાયને રચવામાં અને જેવાં તેવાં પુસ્તકો બહાર પાડવામાં મુનિવ સમાયેલું છે, તે પછી પરસ્પર વિદ્વેષ કરવામાં અન્યના છિદ્ર તપાસવામાં, અન્યને જરા જેટલા દેષને માટે કરી બતાવવામાં ઝીણી ઝીણું વાતાને મનમાં રાખી કુસંપ વધારવામાં, પોતાના વાડા માંનાં ઘેટાંઓ બીજાના વાડામાં ન ઘુસી જાય તે માટે એક નાદાન ભરવાડ જેટલા જ જુસ્સાથી ડેટાં ડાંગેરાં લઈ સામ સામા શબ્દ વિષયથી ભર્યા પ્રહાર કર , વામાં, શિષ્ય કરવા માટે એક અમુક ગૃહસ્થ જેટલી ચિંતા સેવી ગમે તેવા પ્રપમાં પડવામાં, અને બિચારા ભેળા અજ્ઞાત વર્ગને ફસાવામાં મુનિત્વ શાનુંજ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy