SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ * વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, ચતુર્થ તત્ત્વજ્ઞાનના વાત્સવ સ્વરૂપનું જેમને બીલકુલ ભાન કે જ્ઞાન નહીં એવા નામના વેષધારી પુરૂષે ઉપદેશક વર્ગમાં ઉભરાવા લાગ્યા. આથી પરિણામે ક્રિયા જડતા શુકજ્ઞાન, બાહ્ય ક્રિયામાંજ રાગ, આંતર દેની સંવૃદ્ધિ, વિવેચક શકિતને અભાવે પરીક્ષક શકિતને અભાવ, અગ્યને આદર કર્તવ્ય-અકર્તવ્ય યોગ્ય-અયોગ્ય એચયન અજ્ઞાન. અને એવાં બીજાં અનેક હાનિકર અનિષ્ટ તત્તે પ્રજામાં પ્રસરી ગયાં. આ નામના ઉપદેશકે એ જે કાંઈપણ કર્યું હોય તે તે એટલુંજ કે જૈન પ્રજામાંથી ધર્મનું સંગામાત્ર નામ જતું અટકાવી રાખ્યું છે. ધર્મને સ્થાને ધર્મો ભાસ, જ્ઞાનને સ્થાને ક્રિયા જડતા આવ્યાં ખરાં, પણ કેઈને કોઈ રૂપે ધર્મ રો તે ખર (ઉપકાર !) નામના ઉપદેશકે એ ટકાવી રાખેલ એ નામના ધર્મથી કંઈ વિશેષ લાભ નથી, એવા ધર્માભાસથી સંતોષ માની બેસી રહેવું એ શ્રેયસ્કર નથી. જૈનદર્શન જે તત્વજ્ઞાનથી ભરપુર છે અને “તર્ક' પર બંધાયેલ છે. તેનું રહસ્ય પૂર્ણ જ્ઞાન પામવાની યેગ્યતા સંસાર વાસનામાં સુખ માનનારા, બહારના આડંબર-ટાપટીપ વિચાર શૂન્ય ક્યામાં લાગી રહેલા જ્ઞાન રહિત પુરૂષોમાં હોવી જ ઘટતી નથી. તે એ દર્શનના ઉત્તમ વિચારેને અન્યમાં સંક્રાંત કરવાની યોગ્યતા તે કયાંથીજ હોય! જૈન ધર્મ મલિન-અસ્વચ્છ નાસ્તિક-સાર રહિત અને અગ્રાહ્ય છે એવું કેટલેક સ્થળે મનાય જાય છે. તે પણ આવા નામના ઉપદેશકેને પ્રતાપેજ. લેક મત હમેશાં હાર્દ સમજીને બંધાતે નથી લેકને કંઇતત્ત્વ સમજવાની ઈચ્છા નથી અવકાશ નથી તેમ જરૂર પણ નથી. એ તે ઉપર ઉપરની ક્રિયા, બાહ્યવ્યાપાર અનુયાથી વર્ગના આચાર વિચાર અને ધર્મની કહેવાતી પુરાણ કથાઓ ઉપરથી કાંઈક સાધાર અને કંઈક નિરાધાર કલપનાઓને પ્રમાણુરૂપે ગણી મત બાંધે છે. આવા હવભાવવાળે પ્રજા વર્ગ, નામના ઉપદેકેના ઉપદેશ, શિથિલાચાર, જડકિયા પરાયણતા અને અનુયાયી વર્ગની અજ્ઞાન યુક્ત પ્રવૃત્તિઓ જોઈ વિરૂદ્ધ અનુમાન બાંધે તે તેમાં અપરાધ એમને નહિ પણ જૈન દર્શનના જ્ઞાન તથા કર્મ આદિના રહસ્ય અને ગે રવથી છેક અજ્ઞાન એવા ઉપદેશકે છે, એમ કહેવામાં ધૃષ્ટતા નહિ જ ગણાય. આમ આપણે જોયું કે કોઈ પણ સમાજ અને ધર્મની ઉન્નત અવસ્થા થવામાં વિદ્વાન ઉપદેશક વર્ગ બહુ અગત્યને ભાગ બજાવે છે અને વિશેષે કરીને એ વર્ગ જેમ ત્યાગી, નિરપૃડી, સવ સંગ પરિત્યાગી, જ્ઞાન વિજ્ઞાન યુક્ત, દેશકાલાદિને સૂમ વિવેક કરી કર્તવ્ય યેાજના ઘડનાર, તેને અમલમાં મૂકવાની શક્તિ ધરાવનાર અને તેથીજ પૂજ્ય અને વંદનીય હોય તેમ તે વધારે સારું કામ બજાઈ શકે છે. જૈન ધર્મમાં આવા સમર્થ ઉપદેશક થઈ ગયા છે. અહિં આ વાત લખત. લેખકને અભિમાન થાય છે કે જૈનમાં જે ચતુર્વિધ સંઘનું બંધારણ તથા તેના કત. ' વ્ય વિભાગ આદિની વ્યવસ્થા છે તે બહુ સુંદર, ઉપકારક અને સર્વ પ્રકારના
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy