________________
પરિ છે.
કસાધુ-અધિકાર.
કહેવાય છે. બાકી, હાથીના દાંતની પેઠે દેખાડવાના પણ ન્યારા, અને ચાવવાના પણ ન્યા છે, તેમના નામને તે દેઢ ગાઉને નમસ્કાર!! ભ વિવેક ચક્ષુ ખેલી સુગુરૂ અને કુગુરૂ -સાચા ધર્મગુરૂ અને ધર્મ ઠગને બરાબર ઓળખી લેભી, લાલચુ, અને દંભી, કુગુરૂને કાળા નાગની માફક સર્વથા ત્યાગ કરી, અશરણુ શરણુ ધર્મધુરંધર અને સિંહ કિર સમાન સમર્થ સાચા સર્વજ્ઞ પુત્રનું પરમ ભક્તિ ભાવે સેવન કરવા તત્પર થાઓ? જેથી સર્વ જન્મ જરા અને મરણની ઉપાધી ટાળી,તમે અંતે અક્ષય પદ વરી શકે? ઉત્તમ સારથી કે ઉત્તમ નિયામક જેવા સદગુરૂનાજ દઢ આલંબનથી પૂર્વે પણ અસંખ્ય પ્રાણીયે આ દુખમય સંસારને પાર પામ્યા છે. આપણને પણ એવાજ મહાત્માનું સદા શરણુ હે! એવા પરોપકારશીલ મહાત્મા કદાપિ પ્રાણાંતે પણ પરવચન કરેજ નહીં કિંતુ જગતને એકાંત હિતકારી જ હોય છે
મનન કરી ધારણ કરવા યોગ્ય વિચારશ્રેણિ પોતાના મનમાં મસ્ત રહેવું, જગતની પરવા કરવી નહિ, કંઈ પણ કામકાજ કરવું નહિ, આળસમાં દિન વ્યતીત કરવા કે ધર્મને નામે મિથ્યાચાર સેવવા એને સાધુપણું કેટલેક સ્થળે સમજવામાં આવે છે.
જીવનમાં પ્રમાદ, આળસ, અવ્યવસ્થા, સંકુચિતતા વ્યગ્રતા અને ચિંતાએ ધામા નાખ્યા છે; કર્તવ્ય નિષ્ઠા, શ્રદ્ધા, ઉદારતા, પ્રેમ અને સત્યનિષ્ઠાને સ્થાને તેમનામાં કર્તવ્ય વિમુખતા, વહેમ, વાર્થ, સંકોચ, મેહ, કૃપણુતા, પ્રપંચ અને પ્રસારણુએ પ્રવેશ કર્યો છે; કેટલાક સ્થળેતે બહારના આડંબર, દંભ અને ડેળનાં જ નાટક - જવવામાં આવે છે. તે પણ શ્રદ્ધાનું તત્વ આપણુ લોકને પરંપરાએ માતાના ધાવણની સાથેજ મળતું હોવાથી એ જીવન પ્રત્યેની આપણું સન્માનવૃત્તિને લીધેજ હજી એ જીવન સુધારી લેવામાં આવે તે બહુ સારું કામ કરી શકે એમ છે.
પ્રત્યેક સુવિચારક જાણે છે કે, કોઈ પણ સમાજની કે ધર્મની ઉન્નતિ, પ્રસાર, કે અવનતિને આધારે તેના ઉપદેશક વર્ગ ઉપર રહે છે, અને ધાર્મિક ઉન્નતિ વિના સામાજીક સુધારણાની આશા વ્યર્થ છે. સંસારિક અસ્પૃદય અને પારમાર્થિક નિઃશ્રેયસ ના ઉપદેશો ચગ્ય આચાર્યો દ્વારા નીકળતા અને શાસન ઉન્નત અવસ્થાએ પહેાંચતુ એ વાત પણ આપણુ ઈતિહારથી સુરસિદ્ધ છે. જંબુસ્વામી, ભદ્રબાહસ્વામી, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ, મુનિસુંદર વગેરે આચાર્યોના પ્રયાસ પ્રત્યેક જૈન ધર્માભિમાનીને સવિદિત જ હશે. કાળે કરી ઉપદેશક વર્ગમાં શિથિલતા આવી, ગ૭ભેદના -કલહ વધ્યા. પરસ્પર વિદ્વેષનાં બીજ રોપાયાં, ઉપદેશક વર્ગ તરફથી તેમાં જળ સિંચન થતું ગયું, એક જૈન ધર્મ અનેક શાખા પ્રશાખામાં વહેંચાઈ ગયે, સંઘશકિત-સંયુકતબળ છિન્ન ભિન્ન થઈ ગયું, અને વ્યવહાર તેમ પરમાર્થના તેમ જૈન
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ, ઓગષ્ટ, સપ્ટેમ્બર ૧૯૧૩