SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ w ૨૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ હોય છે. જે લેકે હિંગલા દેવીની યાત્રા કરી આવે છે તેઓ યાત્રાના ચિન્હ તરીકે એ લાલ દાણાની કંઠી ગળામાં બાંધે છે કે જે “હુમરાના નામથી ઓળખાય છે. આજકાલ જે ગિરિ, પુરી અને ભારતી આદિ દશનામીઓમાંના અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થએલા સાધુ છે, તેઓ સર્વ વામમાર્ગી અને કાંચળીયા પંથનાજ છે અને સર્વ દુરાચારોમાં અગ્રેસર છે એમ કહેતાં અતિશય ખેત ઉત્પન્ન થાય છે. : કુસાધુ ને બેધ. * વિશ્વાસ રાખી શરણે આવેલાને છેહ દે, તેના જેવું એકે પાપ નથી તે તે ખોળે સુતેલાનું માથું કાપવા જેવું જુલમી છે. ભલ ભલા બુદ્ધિશાળી લેકે પણ ધર્મના બહાને વિશ્વાસ કરે છે, તેવા ધર્મના અર્થી જનેને સ્વાર્થ અંધ બની ધર્મના બહાને જ ઠગવા એ મહા અન્યાય છે પિતામાં પલપલા છતાં ગુણ ગુરૂને. આડંબર રચી પાપી એવા વિષયાદિ પ્રમાદના પરવશપણાથી મુગ્ધ લોકોને ઠગવા તેના જે એકે વિશ્વાસઘાત નથી, ભેળા ભક્ત જાણે છે કે, આપણે ગુરૂની ભકિત કરી ગરુનું શરણ લહી, આ ભવજળ તરી જવાના. ત્યારે પથ્થરની નાવ પેઠે અને નેક દોષોથી દૂષિત છતાં મિથ્યા મહત્વને ઈચ્છનારા દંભી કુગુરૂઓ પિતાને અને પરીક્ષા રહિત અંધ પ્રવૃત્તિ કરનાર પિતાના મુગ્ધ આશ્રિતને ભવ સમુદ્રમાં જ બુડાડે છે, આમ સ્વ–પરને મહા દુઃખ ઉપાધિમાં હાથે કરીને નાંખે છે. જેનાં મહા કટુક ફળ તે ધર્મ ઠગને આ સંસાર ચકમાં ફરતાં વિશેષ વેઠવાં પડે છે. આ માટે જ શ્રી સર્વજ્ઞ દેવે ધર્મગુરૂને રહેણી કહેણી એક સરખી રાખી નિભાણેજ વર્તવા ફરમાવ્યું છે. આપણે પ્રકટ જોઈ શકીએ છીએ કે કેટલાક કુમતિના પાશમાં પડેલા અને વિષય વાસના થી ભરેલા છતાં, ધર્મગુરૂને ડેળ ઘાલી કેવળ પિતાને તુચ્છ સ્વાર્થ સાધવા અનેક પ્રપંચ રચી, અને અનેક કુતર્કો કરી સત્ય, અને હિતકર : સર્વજ્ઞ ઉપદેશને પણ ગોપવે છે. આમ પતે ધર્મગુરૂજ ધર્મ ઠગપણું આદરી મુગ્ધ મૃગલાં જેવા કેવળ કાનના રસીયા અને આંખ મીંચીને હાજહાજ કરનારા વાશ્રિત ભોળા ભકતને સ્વપરનું પ્રગટપણે બગાડે છે, તે વિવેકી હસે કેમ સહન કરી શકે? દિન દિનપ્રતિ તે પાપી ચેપ પ્રસરી દુનિયાને પાયમાલ કરે છે. તેથી તે ઉપેક્ષા કરવા યોગ્ય નથી જ. જગત્ માત્રને હિત શિક્ષા આપવાને બંધાયેલા દિક્ષિત સાધુઓ જેઓ સર્વજ્ઞ પ્રભુની પવિત્ર આજ્ઞા-વચનેને ઉરમાં ધારી રાખનારા, અને કપટ રહિતપણે તવત વર્તવા સ્વશકિત કુરાવનારા અને સર્વ લેભ લાલચને પરિહરિ જન્મ મરણના દુઃખથી ડરી લેશ માત્ર પણ વીતરાગ વચનને નહિ ગોપવતાં શ્રી સર્વજ્ઞ આજ્ઞાને પૂર્ણ પ્રેમથી આરાધવા ખપ ર્યા કરે છે, તેઓ જ ધર્મગુરૂના નામને સાચું કરી બતાવવા સમર્થ થઈ શકે છે. તેવા સિંહ વિશે રોજ સાચા સર્વજ્ઞ પુત્ર * જૈન હિતધ.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy