SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ સાધુ-અધિકાર અત્યંત સિંઘ રાવ્યુત્સવ વ્યભિચારમય વિધિ-સાથે એ પૂજાને અંત થાય છે. એ શાકતવિધિ શ્રીચક અથવાતે પૂર્ણભિષેકના નામથી ઓળખાય છે. ખરી રીતે જોતાં એ અપવિત્ર વિધિઓને મૂળ તંત્રમાં નિષેધજ કરાયેલો છે, છતાં વામમાર્ગીઓએ વિધિને પરમ ઈષ્ટ વિધિ માને છે અને એમાં પૂર્ણ ભાવના રાખે છે. આર્યાવર્તામાં એ શક્તિધર્મના અનુયાયિ જનેની સંખ્યા ઘણી જ મોટી છે અને તેમાં પણ બ્રાહ્મણનું પ્રમાણ વિશેષ છે. એ શાકતધર્મમાં થિએફિલ સોસાયટી અને સ્વામી નારાયણના પંથ પ્રમાણે સર્વ જાતિ કે ધર્મને ભેદ ન માનતાં સર્વને સમાન ગણવામાં આવે છે. બહાર જુદી જુદી જાતિના અને જુદા જુદા ધર્મના લેકે પિતાના જાતિભેદ કે ધર્મભેદને ધારણ કરે છે, અને પિતે શાકત નથી એમજ બતાવે છે. પરંતુ સિંદુરનાં તિલક અને કટિએ લાલ રેશમના કકડાથી તેઓ શકિત તરીકે તરત ઓળખાઈ આવે છે. દક્ષિણાચારી અને વામમાર્ગીઓ ઉપરાંત શાકને એક બહુજ અશ્લીલ ત્રીજો પંથ પણ છે અને તે “કાંચલીય માર્ગના નામથી પ્રસિદ્ધ છે. એ કાંચલીય માર્ગને દક્ષિણ દેશમાં વિશેષ પ્રચાર છે. ગુજરાત અને કાઠિયાવાડમાં એ પંથને ચેના માર્ગના નામથી ઓળખવામાં આવે છે. એ પંથવાળાઓની ધર્મક્રિયાઓ કૈલ અથવા વામાચારીઓ જેવી જ છે. માત્ર એક વિશેષ વિધિથી એ પંથ બીજા શાત પંથેથી ભિા છે. સ્ત્રી મૈત્રીના ગ્રંથિઓને પુરૂષ સાથે મેળવી દેવી અને દેવીભકતમાં સ્ત્રીઓના સમુદાયને વધારે કરે એટલું જ નહી, પણ જે સ્વાભાવિક લજજાબંધન હોય તેને પણ તેડીને નિરંકુશ થઈ વર્તવું એ એ વિધિને આશય છે. એમ કહેવામાં આવે છે કે એ કાંચળીયા રથવાળાના ધર્મ વિધિના સમયમાં સર્વ સ્ત્રીઓ પોતપોતાની ચાળીઓ ઉતારીને ગુરૂના અધિકારમાં ત્યાં પડેલી એક પેટીમાં મૂકે છે. જ્યારે સાધારણ ધર્મક્રિયાની સમાપ્તિ થાય છે, ત્યારે પ્રત્યેક પુરૂષ તે પેટીમાંથી એક એક ચેળી ઉપાડી લે છે. જે સ્ત્રીની ચેળી જે પુરૂષના હાથમાં આવે, તે સ્ત્રી ગમે તે તે પુરૂષની નિકટતમ સંબંધીની એટલે કે ભગિનિ કે પુત્રી હોય તે પણ તેટલા સમયને માટે તે પુરૂષના કામ વ્યાપારની ભાગિની થાય છે. એટલે નિઃસર્ગકૃત નીતિના સ્વાભાવિક દુર્ગને પણ એ વિધિથી તેડી નાખવા માં આવે છે. મકરણ પ્રદેશમાં જે હિંગુલા દેવીનું સ્થાન આવેલું છે, તે બહુધા વામમાગીએ અને એ કાંચળીયા પંથના દેવીભક્તનું જ તીર્થસ્થાન છે !! પ્રતિવર્ષ ત્યાં હજારે શાક્ત મતવાદીએ યાત્રા માટે જાય છે. જે પ્રદેશમાં એ સ્થાન આવેલું છે ત્યાંની ભૂમિમાં પરવાળા જેવા એક જાતના દાણું થાય છે અને તેને રંગ લાલ
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy