SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ વિહારમાં જૈનધર્મ માટે ઘણી જાગૃતિ થઈ હતી અને દરેક સ્થળે ત્રણ વખત વ્યા ખ્યાન, પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિ મહત્સવ થઈ રહ્યા હતા. છેડાડીમાં ત્રણ સ્વામીવાત્સલ્ય થયાં હતાં. અને જેતપુરથી પાછા તેડવા જનાર જીવાભાઈએ પ[ આ પ્રસંગે ગુરૂભક્તિ અને શાસન્ન ઉન્નતિમાં સ્વામીવાત્સલ્યાદિ કરી સારે ભાગ લીધું હતું. તેમજ માગમાં રેવન્યુ કમીશનર, વહીવટદારે વગેરે મંડળે પ્રતિબોધ માટે પ્રસંગ મેળવી આત્મહિત પ્રાપ્ત કર્યું હતું. એમાં એકંદર માવજીંજવેથી જુ નાગઢ સુધીના દરેક ગામથી શ્રાવક વર્ગ સાથે ચાલી ગીરનારજીની યાત્રા સંઘ સમુ દાય યુકત કરી હતી. આ પ્રસંગે માર્ગમાં રાણપુર તથા ખારચીયામાં દેરાસર તથા ઉપાશ્રય કરાવવા ગોઠવણ થઈ હતી અને ત્યાં જાહેર ભાષણ કરવામાં આવ્યાં હતાં. જ્યારે વડાળમાં અને સખપરમાં પૂજા, જાહેર ભાષણ વગેરે શાસન ઉન્નતિના કાર્ય થયાં હતાં. જુનાગઢ યાત્રા માટે રોકાયા દરમિયાન મહાવીર જયંતીનો પ્રસંગ આવતાં ચિત્ર સુદ ૧૩ના રોજ જયંતી ઉજવવામાં આવી હતી. જે પ્રસંગે મેટા મેળાવડામાં પ્રસિદ્ધવક્તાશ્રી ચરિત્રવિજયજી મહારાજે તથા તેઓશ્રીએ જય તો માટે ભાષણ કરી જયંતી તરફ લેકરૂચી ઉત્પન્ન કરી હતી. જુનાગઢથી માંગરોળ પધારતાં ત્યાં દીક્ષા મહોત્સવ તેમજ અડ્રાઇમહોત્સવના પ્રસંગ પસાર થવા પામ્યા હતા. દરમિયાન ચાતુર્માસ આવતાં ગુરૂ આજ્ઞાથી સં. ૧૯૭૦ નું ચાતુર્માસ માંગરોળ કર્યું. અને ચોમાસા દરમિયાન પણ ધર્મચય તે મજ જ્ઞાનગોષ્ટિ વિશેષ થવા સાથે એકત્ર થએલ સંગ્રહને પ્રકાશમાં લાવવા ત્યાંના સંઘને આગ્રહ થતાં તેને આ પ્રથમ ભાગ બહાર આવવા પામ્યું. ચાતુર્માસ પછી વિહાર કરતી વખતે તીર્થયાત્રાનો લાભ લેતાં સુધી સંઘ સાથે ગયે અને ત્યાં સ્વામીવાત્સલ્યાદિ થવા સાથે તીર્થની વ્યવસ્થા માટે કેટલીક યોજના દર્શાવી. આ પ્રસંગે વેરાવળથી પણ ત્યાં શંઘ આવેલ હતું તેથી મહારાજશ્રાને ત્યાં પધારવા વિનંતી કરી અને વેરાવળ તરફ પધાર્યા. આ પ્રસંગે માર્ગમાં ચેરવાડ-સાદરી વગેરે સ્થળે સ્વામીવાત્સલ્ય થયાં હતાં અને વેરાવળ જવાથી ત્યાં સમવસરણ તથા અઠાઈ મહેસૂવ થવા સાથે નીરાશ્રીતાશયની યોજના આવા પ્રસંગે અમલમાં મુકવામાં આવી તેમજ જમણ શુદ્ધિ માટે વ્યવસ્થા થઈ. વેરાવળ મહોત્સવ ક્રિયા શરૂ હતી તેટલામાં માંગળ દીક્ષા મહોત્સવને બીજા પ્રસંગ ઉપસ્થીત થતાં આમંત્રણથી ત્યાં જવું પડયું અને પછી ત્યાંથી વિહાર રાજકોટ તરફ આગળ શરૂ કર્યો. જ્યારે માર્ગમાં દરેક સ્થળે જાહેર ઉપદેશ શરૂ રાખવા ઉપરાંત ભાણવડમાં અઠ્ઠાઈ મહત્સવ થયે અને હમેશના જાહેર લેકચરમાં હિંદુ મુસલમાન સિ એક સરખા ઉત્સાહથી જોડાવા લાગ્યું.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy