________________
૨૨ તેમનાં વિધવા સ્ત્રી બાઈ મેતીની મદદથી અત્રેની આત્માનંદ સભા માત બહાર પડી ચુકેલ છે. અને જેના માટે જુદા જુદા પ્રશસાપત્ર બહાર આવ્યા છે.
ચોમાસા પછી ત્યાંથી વિહાર કરી તારગાળ થઈ ઊંઝાના સંઘ સાથે કેશરીયાજીની યાત્રા કરી પછી ભોયણજી (મલ્લીનાથ) પાનસર, શખેશ્વર થઈ વઢવાણુકાંપ પધારતાં ત્યાં જાહેર ભાષણ કર્યું. ત્યાંથી લીંબડી આવતાં ત્યાં પણું ભક્તિથી પુર પ્રવેશ થવા સાથે જહેર ભાષણ કર્યું. કે જેમાં ત્યાંના ઠાકોર સાહેબ તથા ઢુંઢીયાના સ ધુ શ્રી નાગજી મુનિ, નાનચંદ મુનિ વગેરેએ તેમજ બંને ફિરકાના જૈન ભાઈઓએ ઉત્સાહથી ભાગ લીધો હતે. પછી ત્યાંથી રાણપુર, ચુડા, બોટાદ, વળા, પછેગામ થઈ પાલીતાણા પધાર્યા કે જે દરમિયાન ઉપરના સર્વ સ્થળે વજન મહોત્સવ અને જાહેર ભાષણથી અને ક ઉપકાર થયા હતા.
મહારાજશ્રી પાલીતાણા પધારવાના ખબર કુંડલે થવાથી ત્યાંના સંઘે પ્રેમથી આમંત્રણ કર્યું ને ગુરૂ આજ્ઞા મેળવતાં ૧૯૬૯ નું ચોમાસું ત્યાં ઠર્યું. આ પ્રસંગે પાલીતાણેથી કુંડલે પધારતાં કુંડલાની ટોળી સામે આવી ગારીયાધાર, ભેસવડ, જુનાસાવર વગેરે સ્થળે પૂજા ભણવવાદિક ધમરાધન કયું હતું.
આ વર્ષમાં કાઠીયાવાડ અને ખાસ કરી પાલીતાણા તથા કુંડલામાં અતિ વૃષ્ટિ થવાથી ત્યાં અને આસપાસનાં ગામમાં અનેક કુટુંબે પાયમાલ થયાં હતાં તેથી મહારાજશ્રોએ મુંબઈ વલ્લભ વિજયજી મહારાજ ઉપર પત્ર લખતાં મુંબઈના સંઘ મારફત તથા પાટ, પાલણપુર વગેરે તરફથી મળેલા લગભગ બે હજાર રૂપિયા નાના ગામે માં નુકશાનમાં આવેલ કુટુંબમાં ગુદાન રૂપે વહેંચાયા હતા.
કુંડલાના માસા પછી ગીરનારજીની યાત્રા કરવા જતાં કુંડલાની ટેળી સાથે જઈ ધારગણ, ચલાળા, ધારી, ભાડેર વગેરે સ્થળે સ્વામીવાત્સલ્ય તથા પૂજા મહત્સવ કર્યો હતે અને તે પછી બગસરે જતાં ત્યાં પ્રવેશ મહોત્સવ, અ હાઈમહોત્સવ, સ્વામીવાત્સલ્યાદિ ધર્મ કાર્ય થયાં હતાં અને તેજ પ્રસંગે ઢુંઢીયા સંપ્રદાય ના તપસ્વીજી માણેકચંદજી સ્વામી તથા જેચંદ મુનિ ત્યાં હોવાથી તે સંઘમાં પણ એ સ્વામીવાત્સલ્ય થયાં હતાં. વળી તે પ્રસંગે બગસરામાં ધમરાધન માટે ઉપાશ્રય ન હોવાથી ઉપદેશ દેતાં દોશી મુરજી ભાભાની વિધવા બાઈ ગગલ તથા સંતક તરફથી ઉપાશ્રય માટે ગઠવણુ કરવામાં આવી હતી. તથા સંઘે દેરાસરજી કરવા જમીન લઈ તે માટે તૈયારી કરી હતી.
ત્યાંથી વિહાર કરી અમરેલી જતાં ત્યાંના નાગનાથના વિશાળ ચેકમાં “ શુ દ્ધ ભાવના” એ વિષય ઉપર જાહેર ભાષણું આપ્યું હતું, ત્યાંથી માવજવા, ભેસાણ થઈને પિતાના જન્મસ્થાન છોડવડી ગયા હતા. મહારાજશ્રીના આ તરફના