SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સુસાધુ (તાતિ) આધાર, ઉત્તમ સાધુ યારે સ્થિરતાને પ્રાપ્ત કરે છે, તે પછી તેને પરમ તૃપ્તિ પ્રાસ થાય છે. સાધુ જીવનની ઉચ્ચતા તૃપ્તિમાં જ રહેલી છે. એ તૃપ્તિ સ્વગુણેામાં રમણુ કરવાથી પ્રાપ્ત થાય છે. જ્યારે આ જગના પૈાલિક પદાર્થીની વિષયવાસનાઓની તદ્દન નિવૃત્તિ થાય છે ત્યારેજ પરમ તૃપ્તિ પ્રગટે છે, એ તૃપ્તિના પ્રભાવથી આત્મવીના ઉચ્છ્વાસ ઉત્પન્ન થાય છે, પછી તેવા સ્વય' તૃપ્ત મહાત્માને પરતૃપ્તિના સમારાપ ઘટતા નથી. તેના તૃપ્ત હૃદયમાંથી મનઃકલ્પિત ભ્રાંતિ દૂર થઇ જાય છે, એ તૃપ્તિના મહાન ગુણુ આ અધિકારથી કહેવામાં આવે છે. મુનિ શા ઉપભાગ કરી પરમ તૃપ્તિ પામે છે. अनुष्टुप्. पीत्वा झानामृतं भुक्त्वा, · क्रिया सुरळताफलम् । साम्यताम्बूलमा स्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥१॥ શા—જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને ક્રિયારૂપી સુર લતાના (કલ્પલતાના ) નુ ભાજન કરીને અને સામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે. વિવેચન—વ્યવહારમાં લેાજનાદિ પણ ક્રિયા છે અને તે ભેાજનાદિ ક્રિયાથી કેટલાએક તૃપ્તિ માને છે. પરંતુ તે આત્યંતિકી તૃપ્તિ નથી,, તેથી જ્ઞાનક્રિયાથી થયેલી તૃપ્તિ આત્યતિકી છે, એમ બતાવતા કહે છે કે, મુનિ એટલે જ્ઞાનક્રિયાવાળા ચેાગી સ્વ પર સ્વરૂપના અનુભાસ કરનાર એધિજ્ઞાન તે રૂપી અમૃતનું શ્રવણુ, મનન અને નિધ્યિાસન રૂપ ધારાએ પાન કરીને, મનને અભિમત ક્રિયારૂપી કલ્પલતાના લનું સ્વાભાવિક આનંદરૂપ ફુલનુ−લેાજન કરીને, ધીમે ધીમે ચાવી, સુબુદ્ધિરૂપી જિન્હાએ સ્વાદ લઇને, અને સત્ર તુલ્ય દ્રષ્ટિરૂપી તાંબૂલનું–આત્માના વિષે રતિરૂપ સુગંધી વિભુષાકારી નાગવલ્લીના પાનનું આસ્વાદન કરીને, સામ્ય તર ંગિત થઈને, તજન્ય લીલા અનુભવીને સર્વોત્કૃષ્ટ તૃપ્તિને-સ ઇચ્છાની નિવૃત્તિને પામે છે.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy