________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
દિતીય
શબ્દાથી–સ્થિરતારૂપી તેજોમય રત્ન પ્રદીપ હોય તે સંકલ્પ દીપથી ઉત્પન્ન થતા વિકલ્પ પૂમથી શું, અને મલિન આશ્રવથી પણ શું?
વિવેચન–જે મુનિના હૃદયમાં સ્થિરતારૂપી પ્રકાશિત રત્નમય પ્રદીપ હેય તે સંકલ્પ એટલે અશુદ્ધ ચાપલ્યતારૂપ મને રથ તે રૂપી જે દીપ તેથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધૂમે કરીને શર્યું અને અતિ મલિન કર્મબંધ હેતુ આશ્રવથી પણ શકું તાત્પર્ય એ છે કે, સંકલ્પ વિકલપથી તથા આશ્રવ સેવવાથી કાંઈ સાધ્ય નથી. માટે નિર્ધમ શૈર્ય રત્ન પ્રદીપ આદરવા ચોગ્ય છે. અસ્થિરતારૂપી પવન ધર્મમેધરૂપ સમાધિની ઘટાને
વખેરી નાખે છે. उदीरयिष्यसि स्वान्तादस्थैर्यपवनं यदि ।
समाधे मेघस्य, घटां विघटयिष्यसि ॥७॥ શબ્દાર્થ – સ્વ હૃદયમાંથી અવિરતારૂપી પવનને તું પ્રેરીશ તે સમા ધિરૂપી ધર્મમેઘની ઘટાને વિખેરી નાંખીશ.
વિવેચન–મહના ઉદયથી આત્માને વિષે ઉપગ રહિત અસાવધાન થઈને અંતઃકરણમાંથી અસ્થિરતારૂપી પવનને તું પ્રેરીશ, એટલે કે, સ્થિરતા તજીને ચંચલ પરિણામી થઈશ તે સમાધિ એટલે મન, વચન, અને કાયાનું એકાગ્રપણું તે રૂપી જે ધર્મમેવ નામના સમાધિની ઘટા, સ્વ સ્વભાવરૂપી મેઘની ઘટા-અબ્ર માલા–તેને પવન વિખેરી નાંખશે. જેવી રીતે વાયુ પ્રેરિત મેઘની ઘટાને નાશ થઈ જાય છે, તેવી રીતે અસ્થિરતાથી સમાધિરૂપી ધર્મમેઘની ઘટાને નાશ થાય છે. સિદ્ધના જીવ પણ સ્થિરતારૂપે ચારિત્રને ચાહે છે.
चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते ।
यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ॥ ८॥ શબ્દાર્થ–સિદ્ધ છમાં પણ સ્થિરતારૂપ ચારિત્ર મનાય છે. માટે તે સ્થિરતાની જ સિદ્ધિને અર્થે મુનિએ યત્નવાળા અવશ્ય થાઓ.
વિવેચન–હે ગીશ્વરે, સ્થિરતા એટલે આત્મપ્રદેશની જ્ઞાન દર્શકના ત્મક ઉપયોગની નિશ્ચલતા, સ્વરૂપ, નિષ્પત્તિને અર્થે પ્રચુર ઉદ્યમવંતા થાઓ. સિદ્ધને વિષે ચારિત્રને આગમમાં જે નિષેધ કહે છે તે ક્રિયાત્મક ચારિત્ર સમજવું, ચારિત્ર બે પ્રકારનું છે. નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર વ્યવહાર ચારિત્ર ક્રિયાત્મક છે તે સિદ્ધને વિષે નથી.