SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ | શરીર દુર્ગધથી ભર્યું છે. આવા શરીર પ્રત્યે રાગ શા માટે કરવો? શું મોહિત થવું? કેમ પ્રેમ કરવો? શરીર આપણું હોય કે બીજાનું હોય, સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, દુગંધમય શરીર સ્નેહ-પ્રેમ કરવા યોગ્ય નથી. દુર્ગંધમય શરીરને સુગંધમય બનાવવા માટે મનુષ્ય ગ પાનમાં સુગંધી મસાલા નાખીને ખાય છે. I શરીર ઉપર સુગંધમય અત્તર વગેરે છાંટે છે. | વસ્ત્રો ઉપર સુગંધી પદાર્થો છાંટે છે. પરંતુ એ ક્યાં સુધી રહે છે? જ્યાં પાન ખલાસ થયું, અત્તરની અસર પૂરી થઈ, વસ્ત્રો ઉપરનો “એ” ખલાસ થયો, શરીર અને વસ્ત્રો પરસેવાથી લથપથ થયાં કે ફરીથી દુર્ગધ શરૂ! શરીરનો સ્વભાવ જ દુગંધમય છે. એને સુગંધમય બનાવવાની ભ્રમણામાં ન રહો શરીરને સુગંધિત બનાવવાના કૃત્રિમ ઉપાયો ત્યજોઃ તમે લોકો જો શરીરને આ રીતે કૃત્રિમ ઉપાયોથી સુગંધિત બનાવવાનો પ્રયત્ન કરતા હો તો જ્ઞાની પુરુષની નજરમાં હાસ્યાસ્પદ છો. વિશેષ રૂપે તો હાસ્યાસ્પદ ત્યારે જ બનો છો કે કૃત્રિમ ઉપાયો દ્વારા સુગંધિત બનેલા શરીરને ચાહો છો. (ચુંબન કરો છો). વારંવાર સુંઘો છો. પુરુષ સ્ત્રીના શરીરને સુંઘે છે, ચાટે છે. સ્ત્રી પુરુષના શરીરને સૂંઘે છે, ચાટે છે. આ માત્ર મોહાલ્પતા છે. અજ્ઞાનતા છે. શરીરને સુગંધિત બનાવવાની તમામ રીતોને જ્ઞાની પુરુષો બાલચેષ્ટા જ સમજે છે. જ્ઞાની પુરુષોનો શરીર તરફનો જે અભિમત છે, દ્રષ્ટિકોણ છે, એને સમજવાનો પ્રયાસ કરો. ગંભીરતાથી વિચારો, નહીંતર આ મનુષ્ય જીવન નિરર્થક શરીરસેવામાં જ વ્યર્થ પૂરું થઈ જશે. અશુચિ ભાવનાની સાર્થકતા ક્યારે?? અશુચિ ભાવનાની સાર્થકતા બતાવતાં “કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહ્યું છે - जो परदेहविरत्तो णियदेहे ण य करे दि अणुरायं । अप्पसरूवि सुरत्तो, असुइत्ते भावणा तस्स ॥ ८७ ॥ જે મનુષ્ય પરદેહ પ્રત્યે વિરક્ત હોય છે અને પોતાના શરીર ઉપર પણ અનુરાગ કરતો નથી, જે મનુષ્ય આત્મસ્વરૂપમાં સુરક્ત બને છે એની અશુચિ ભાવના સાર્થક થાય છે. [ ૮૨ શાન્ત સુધારસ ભાગ ૨)
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy