SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મયણાસુંદરી’ અને ‘શ્રીપાલ'ના માધ્યમથી સમજાવું. તમારે મૂળભૂત વાત યાદ રાખવાની કે હૃદયકમળમાં કરેલું પરમાત્માનું ધ્યાન, ચિંતન શ્રીપાલ અને મયણાસુંદરીની અપૂર્વ આધ્યાત્મિક ઉન્નતિમાં અસાધારણ કારણ બન્યું હતું. શ્રીપાલ અને મયણાસુંદરીનાં હ્રદય - કમળ જેવાં કોમળ હતાં અને નિર્લેપ હતાં. આ વાત હું તમને પહેલાં બતાવવા માગું છું. મયણાસુંદરીનું હૃદય ઃ મયણાસુંદરી અવંતી દેશ (માળવા)ના રાજા પ્રજાપાલની પુત્રી હતી. એની માતાનું નામ હતું રૂપસુંદરી. મયણાની શિક્ષા-દીક્ષા ‘સુબુદ્ધ' નામના આચાર્યની પાસે થઈ હતી. તે ૬૪ કલાઓમાં નિપુણ બની; જૈનદર્શનમાં કુશળ બની, ષડૂદ્રવ્ય, સપ્તનય, નવતત્ત્વ, અષ્ટકર્મ, દશવિધ ધર્મ, શ્રાવક જીવનનાં બાર વ્રતો, ૧૧ પ્રતિમાદિ વિષયોમાં પારંગત બની. જે રીતે એના અધ્યાપક સુબુદ્ધ શાન્ત હતા, જિતેન્દ્રિય હતા, જિનમત પારંગત હતા, એ જ રીતે મયણા મણ શાન્ત, વિનીત, જિતેન્દ્રિય, સમ્યગ્દષ્ટિ અને શીલવતી હતી. સૌથી વિશેષ વાત હતી - ૫૨ગુણ દર્શનની. પરદોષ દર્શનરૂપ ક્રૂરતા એનામાં ન હતી. દુઃખ આપનાર પ્રત્યે પણ એનામાં દ્વેષ પેદા થતો ન હતો. એવા લોકો પ્રત્યે પણ એનું હૃદય કઠોર બની શકતું ન હતું, એ કોમળ ભાવથી જ એમના પ્રત્યે જોતી હતી, વિચારતી હતી. એના લગ્નની ચર્ચા દરમ્યાન એના પિતા - રાજા પ્રજાપાલ સાથે મયણાની તાત્ત્વિક ચર્ચા થઈ ગઈ હતી. રાજસભામાં રાજાએ એને પૂછ્યું હતું - “તે જો વોતુ, તુમ્યું વા રોજતેત્ર ઃ ? તને કેવો વર જોઈએ ? તને કયો વર પસંદ છે?” ત્યારે મયણાએ પ્રથમ તો લજ્જાને કારણે જવાબ જ ન આપ્યો. રાજાએ ફરીથી પૂછ્યું તો જવાબ આપ્યો : “હે તાત ! આ તો મારે માટે શરમની વાત છે; ઉચ્ચ કુળની બાળાનો વર તો પિતા પસંદ કરે છે અને એને જ બાળા પસંદ કરે છે. છતાં પણ વરની પસંદગીમાં માતા-પિતા નિમિત્ત માત્ર જ હોય છે. વાસ્તવમાં તો પૂર્વજન્મમાં બાંધેલો સંબંધ જ કારણભૂત હોય છે. જેણે જેવાં શુભ-અશુભ કર્મો ઉપાર્જિત કર્યાં હોય એ બધાં કર્મો નિશ્ચિતરૂપે ભોગવવાં પડે છે... પુણ્યશાળી કન્યાને હીનકુળમાં આપવામાં આવે તો પણ તે સુખી થાય છે અને પુણ્યહીન કન્યાને ઉચ્ચકુળમાં આપવામાં આવે તો પણ તે દુઃખી થાય છે.” ન “હે પિતાજી ! આપ તો સમજદાર છો, તમારે એવો ગર્વ કરવો ન જોઈએ કે - મારી જ કૃપાથી મનુષ્ય સુખી થઈ શકે છે અને અવકૃપાથી દુઃખી થાય છે. પુણ્યવંત ઉપર જ તમે કૃપાવંત થાઓ છો. પુણ્યહીન ઉપર આપ કૃપા ન કરી શકો.” રાજાને પોતાની પુત્રીની આ વાત ગમી નહીં, પ્રિય ન લાગી અને એનાં લગ્ન એક અશુચિ ભાવના ૩૫
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy