SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક એવી વાતો હોય કે જે તમારે માટે હિતકારી હોય, પરંતુ બીજાંને માટે અહિતકારી હોય, એવી વાતો ન કરો. વિસંવાદી વાતો ન કરો, અસત્ય ન બોલો, સત્યનિષ્ઠાને મહાન ધર્મ માનો. ૮. તપ તપ કરતા રહો; તમારા કર્મો નષ્ટ થશે. બાહ્યતાની સાથે આવ્યંતર તપની માત્રાને પણ જોડી દો. અલબત્ત, બાહ્યતા આત્યંતર તપમાં પહોંચવા માટે જ છે. બાહ્યતપ આવ્યંતર તપમાં સહાયક હોવું જોઈએ. ૯ બ્રહ્મચર્ય : બ્રહ્મસ્વરૂપ આત્મામાં વિહરવા માટે તમારે અબ્રહ્મ મૈથુનથી નિવૃત્તિ લેવી પડશે. મન, વચન, કાયાથી મૈથુનનો ત્યાગ કરવો પડશે. બ્રહ્મચર્યનું પાલન તમારા તન, મનને તંદુરસ્ત રાખશે અને તમે પરમ બ્રહ્મની લીનતામાં દિનપ્રતિદિન આગળ વધી શકશો. ૧૦. અકિંચન્યઃ અપરિગ્રહી બનો. મૂચ્છનો ત્યાગ કરો, મમતા-આસક્તિનો ત્યાગ કરો. કોઈ પણ પુદ્ગલ પદાર્થ પર મમત્વ ન થઈ જાય એ વાતની પૂરી સાવધાની રાખીને જીવન જીવો. આમ તો આ દશવિધ ધર્મ શ્રમણ-શ્રમણીની આરાધના છે, પરંતુ ગૃહસ્થ પણ પોતાની યોગ્યતા અને ભૂમિકા અનુસાર આની આરાધના કરી શકે છે. ભૂતકાલીન પાપોને નષ્ટ કરવા માટે વર્તમાનકાલીન જીવનને નિષ્પાપ અને પ્રસન્નતાપૂર્ણ બનાવવા માટે ધર્મના આ દશ પ્રકાર અદૂભુત ઉપાય છે. આ ધમવિધિને હૃદયમાં ધારણ કરીને સુખશાન્તિ અને ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરતા રહો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. [ અશુચિ ભાવના અશચિ ભાવના ] ૭૧
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy