________________
ઉપર ક્યાંય મમત્વ ન જાગે. દેહશુદ્ધિ અને વસ્ત્રપ્રક્ષાલન જેટલી જિનાજ્ઞા હોય તેટલું થાય એ જરૂરી છે.. ભાવશૌચને ક્યાંય આંચ ન આવે એટલી જ દેહશુદ્ધિ કરવાનું કહેલું છે. સાધુ-સાધ્વીએ શરીરસ્નાન તો કરવાનું જ નથી. સાધુ-સાધ્વીનું ભાવસ્નાન તો બ્રહ્મચર્ય છે. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવાથી ભાવપવિત્રતા અખંડ રહે છે. મોક્ષના આરાધકે ધ્યાન રાખવાનું કે એને માટે બાહ્યશુદ્ધિ એટલી મહત્ત્વની નથી કે જેટલી આત્મશુદ્ધિ. શરીરશુદ્ધિનું લક્ષ્ય આત્મશુદ્ધિને ભૂલાવી દે છે. મુમુક્ષુ આત્માએ જીવનની એક-એક ક્ષણ આત્મશુદ્ધિની આરાધનામાં વિતાવવાની હોય છે. આત્મશુદ્ધિને નુકસાન ન થાય એ રીતે સંયમ સહાયક શરીરનો ખ્યાલ રાખવાનો છે.
પાંચમી સાવધાની ખાસ સાધુ-સાધ્વી માટે છે. એમને એવા મકાનમાં રહેવાનું છે કે એની ઉપર મમત્વ બંધાઈ ન જાય. એક જ સ્થાન ઉપર એમને હંમેશાં રહેવાનું તો હોતું નથી. મકાન સારું કે ખોટું એનો ખ્યાલ પણ રાખવાનો નથી. કોઈ મકાન ઉપર પોતાનો અધિકાર પણ રાખવાનો નથી. એમાં નિબંધન થઈને જીવવાનું છે. કદી કોઈ મકાનમાં વધારે સમય રહેવું પડે તો એ રીતે રહેવાનું છે કે મકાનની સાથે લાગણી ન બંધાય - મમત્વન થાય.
ભાવશૌચ માટે છઠ્ઠી સાવધાની એ છે કે મુમુક્ષુએ સમાજ સાથેના સંપર્કમાં બને તેટલું ઓછું આવવું. સમાજસંપર્ક રાગનું કારણ ન થવું જોઈએ. કોઈ પણ જીવાત્માની સાથે મમત્વ ન બંધાઈ જાય એની પૂરી સાવધાની રાખવી રહી. રાગીતેષી જીવોના સંપર્કમાં ક્યાંક મુમુક્ષુ જીવ રાગી ન બની જાય એને માટે જાગૃત રહેવાનું છે. પોતાની વિચારસૃષ્ટિમાં રાગ-દ્વેષ અને મોહનાં ભૂત ભટકવા ન લાગે એ અંગે સતર્ક રહેવું પડે. આ ભાવશૌચનો ધર્મ છે. આ સાચો શૌચવાદ!
આ રીતે ભાવાત્મકપવિત્રતાનો ખ્યાલ કરવાનો છે. દૈહિક સ્વચ્છતાનો, શારીરિક પવિત્રતાનો ખ્યાલ ખોટોછે. બાહ્ય શુચિવાદમિથ્યા છે. ગ્રંથકાર કહે છે -
इत्यवेत्य शुचिवादमतथ्यं पथ्यमेव जगदेकपवित्रम् ।
शोधनं सकलदोषमलानां धर्ममेव हृदये निदधीथाः ॥ ५॥ ધર્મ જ વિશ્વમાં પવિત્રતમ છેઃ
શારીરિક શુચિવાદને ખોટો સમજીને, તમામ દોષોનું પ્રક્ષાલન કરનારો ધર્મ જ વિશ્વમાં પવિત્રતમ છે. એ ધર્મને પોતાના હૃદયમાં ધારણ કરવો જોઈએ. પ્રશમરતિ ગ્રંથમાં દશવિધ ધર્મ આ રીતે બતાવ્યા છે.
સેક્યઃ શાનિર્વત-માર્ગ-શીર સંવત્યા !
सत्यतपो ब्रह्माकिञ्चन्यानीत्येष धर्मविधिः ॥ १६७ ॥ [ અશુચિ ભાવના
૯ ]